બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારના ઉઠતાની સાથે જ આવી ભૂલ ન કરતા, નહીંતર હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે
Last Updated: 04:22 PM, 18 April 2025
હાર્ટ અટેક અને હાર્ટ ફેઈલ જેવી હૃદયની બીમારી વધી ગઈ છે. આ સમસ્યા કોઈપણ સમયે ગમે તેને થઈ શકે છે. 40 વર્ષની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવે છે તેની પાછળનું કારણ લાઇફસ્ટાઇલ છે. સારી લાઇફસ્ટાઇલની શરૂઆત સારા દિવસ અને સ્વસ્થ સવારથી થાય છે. એવું કહેવાય છે કે જો તમારી સવાર સારી હોય તો તમે આખો દિવસ સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે પણ કોઈ હૃદયની બીમારીથી પીડિત હોવ અથવા આવી કોઈ પરિસ્થિતિથી બચવા માંગો છો તો સવારે આ 3 કામ જરૂરથી કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સવારે ઉઠ્યા બાદ તરત જ બોડીને મુવ ન કરશો.જે લોકો અચાનક ચાલવા ફરવા લાગે છે અથવા ઉભા થઈ જાય છે તેમને હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ રહેલું છે. જ્યારે પણ તમે જાગો ત્યારે સૌ પ્રથમ 5 મિનિટ માટે તમારા પલંગ પર બેસો અને બોડીને મુવ કરો. આમ કરવાથી તમારું શરીર એક્ટિવ બને છે.
એક્સપર્ટ મુજબ, જો કોઈ એવી વસ્તુ છે જે સવારે વહેલા શરીરમાં પ્રવેશવી જોઈએ તો તે પાણી છે. પાણી ગમે તે હોય સામાન્ય, હૂંફાળું કે તાંબાનું પાણી તેને ચોક્કસથી પીવો. પરંતુ ફ્રિજનું ઠંડુ પાણી ક્યારેય તરત જ ન પીવો. સવારે ઠંડુ પાણી પીવાથી સાયલન્ટ હાર્ટ અટેક આવી શકે છે. જો કોઈને ચા પીવાની આદત હોય તો તેને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ અને બાદમાં દૂધવાળી ચાને બદલે હર્બલ ચા પીવી જોઈએ.
કેટલાક લોકો સવારે બિસ્કિટ, ચા અથવા બીજા કેટલાક નાના નાસ્તા ખાતા હોય છે, જે હૃદય રોગને પ્રોત્સાહન આપે છે. નાસ્તો હંમેશા ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ. આવો નાસ્તો ખાવાથી, તમને આખો દિવસ ફુડ ક્રેવિંગ્સ નહીં રહે. કેટલાક લોકો હળવું ભોજન લે છે અને પછી દિવસભર કંઈક ને કંઈક ખાતા રહે છે, જેના કારણે ઓવરઈટિંગ થાય છે. ઘણી વખત અતિશય ખાતી વખતે આપણે ધ્યાન આપતા નથી કે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તે હેલ્થી છે કે નહીં.
યોગ કરો, ઊંડા શ્વાસ લો, સૂર્યપ્રકાશમાં રહેવું પણ મહત્વનું છે, તેથી સવારના તડકામાં થોડો સમય પસાર કરો.
હાર્ટ અટેકના જોખમી પરિબળોમાં તણાવ, ઊંઘનો અભાવ, વધુ પડતો સ્ક્રીન સમય અથવા યોગ્ય ખોરાક ન ખાવો જેવા હોઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.