બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીની સિઝનમાં ભૂલથી પણ તડબૂચને લાંબા સમય સુધી ફ્રીજમાં મૂકી ન રાખતા, જાણો કારણ

લાઇફસ્ટાઇલ / ગરમીની સિઝનમાં ભૂલથી પણ તડબૂચને લાંબા સમય સુધી ફ્રીજમાં મૂકી ન રાખતા, જાણો કારણ

Last Updated: 11:42 PM, 20 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરબૂચ ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આથી ઉનાળામાં તેનું સેવન ખૂબ થાય છે. પણ શું તમે જાણો છો કે, તરબૂચને લાંબા સમય સુધી બીજા ફળોની માફક રેફ્રિજરેટરમાં રાખવુ સેફ નથી હોતું?

ઉનાળામાં તરબૂચ ખાવુ દરેકને પસંદ હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી તે ખાવા માટે યોગ્ય નથી રહેતું. તમે તરબૂચને રેફ્રિજરેટરમાં ઠંડુ રાખીને જ ખાઈ શકો છો. પરંતુ જો તમે તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યું હોય તો તેમાં પ્રોબ્લેમ ઊભી થવા લાગે છે. કેમ કે, ઘણીવાર લોકો તેને કાપીને ફ્રીજમાં રાખે છે જેથી તેઓ તેને બાદમાં ખાઈ શકે. પરંતુ તરબૂચને ફ્રીજમાં રાખતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

  • લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ન રાખો

તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો ઘટી શકે છે. આથી તરબૂચને 1 દિવસથી વધુ સમય માટે રેફ્રિજરેટરમાં ન રાખો. જો તમે તરબૂચને એક દિવસથી વધુ સમય માટે રેફ્રિજરેટરમાં રાખો છો તો તે ખાવા માટે પહેલા જેટલું સ્વાદિષ્ટ નથી રહેતું. તેના કારણે તેનો સ્વાદ પણ બગડી જાય છે.

  • એર ટાઈટ કન્ટેનરમાં કરો સ્ટોર
    તરબૂચને એર ટાઈટ પાત્રમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે છે. તમે તરબૂચને બંધ કન્ટેનરમાં ફક્ત થોડા કલાકો માટે જ રાખી શકો છો. કારણ કે જ્યારે તરબૂચને ફ્રિજમાં એર ટાઈટ કન્ટેનરમાં રાખવામાં આવે છે ત્યારે થોડા કલાકો પછી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આથી તેને લાંબા સમય સુધી બંધ કન્ટેનરમાં રાખવાનો પ્રયાસ ન કરો.
  • રેફ્રિજરેટરના સૌથી ઠંડા ભાગમાં રાખો

તરબૂચને રેફ્રિજરેટરના સૌથી ઠંડા ભાગમાં રાખવું જોઈએ જ્યાં વધુ ઠંડક હોય છે. જો તમે તરબૂચને લાંબા સમય સુધી ગરમીમાં બહાર રાખો છો તો તેના બગડવાની શક્યતા રહે છે. આ સ્થિતિમાં તરબૂચને લાંબા સમય સુધી ગરમીમાં બહાર ન રાખવું જોઈએ. તેના બદલે તેને રેફ્રિજરેટરના સૌથી ઠંડા ભાગમાં રાખવું.

વધુ વાંચો : નારિયેળ કે લીંબુ પાણી? જાણો હેલ્થ માટે કયું ડ્રિંક સૌથી વધારે ફાયદાકારક

  • તાજા તરબૂચ ખાવાનો કરો પ્રયાસ

હંમેશા તાજું તરબૂચ ખાવાનો પ્રયાસ કરો કારણ કે ત્યારે જ તેનો સ્વાદ અને પોષક તત્વો બેસ્ટ અને ઇફેક્ટિવ હોય છે. જો તમે તરબૂચને લાંબા સમય સુધી સંગ્રહિત કરો છો અને બાદમાં ખાઓ છો તો તેનો સ્વાદ અને પોષક તત્વો ખરાબ થઈ જાય છે. તરબૂચ ખાવા યોગ્ય પણ નથી રહેતું.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hydration Refrigerator Watermelon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ