બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીની સિઝનમાં ભૂલથી પણ તડબૂચને લાંબા સમય સુધી ફ્રીજમાં મૂકી ન રાખતા, જાણો કારણ
Last Updated: 11:42 PM, 20 March 2025
ઉનાળામાં તરબૂચ ખાવુ દરેકને પસંદ હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી તે ખાવા માટે યોગ્ય નથી રહેતું. તમે તરબૂચને રેફ્રિજરેટરમાં ઠંડુ રાખીને જ ખાઈ શકો છો. પરંતુ જો તમે તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યું હોય તો તેમાં પ્રોબ્લેમ ઊભી થવા લાગે છે. કેમ કે, ઘણીવાર લોકો તેને કાપીને ફ્રીજમાં રાખે છે જેથી તેઓ તેને બાદમાં ખાઈ શકે. પરંતુ તરબૂચને ફ્રીજમાં રાખતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
ADVERTISEMENT
તરબૂચને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો ઘટી શકે છે. આથી તરબૂચને 1 દિવસથી વધુ સમય માટે રેફ્રિજરેટરમાં ન રાખો. જો તમે તરબૂચને એક દિવસથી વધુ સમય માટે રેફ્રિજરેટરમાં રાખો છો તો તે ખાવા માટે પહેલા જેટલું સ્વાદિષ્ટ નથી રહેતું. તેના કારણે તેનો સ્વાદ પણ બગડી જાય છે.
ADVERTISEMENT
તરબૂચને રેફ્રિજરેટરના સૌથી ઠંડા ભાગમાં રાખવું જોઈએ જ્યાં વધુ ઠંડક હોય છે. જો તમે તરબૂચને લાંબા સમય સુધી ગરમીમાં બહાર રાખો છો તો તેના બગડવાની શક્યતા રહે છે. આ સ્થિતિમાં તરબૂચને લાંબા સમય સુધી ગરમીમાં બહાર ન રાખવું જોઈએ. તેના બદલે તેને રેફ્રિજરેટરના સૌથી ઠંડા ભાગમાં રાખવું.
હંમેશા તાજું તરબૂચ ખાવાનો પ્રયાસ કરો કારણ કે ત્યારે જ તેનો સ્વાદ અને પોષક તત્વો બેસ્ટ અને ઇફેક્ટિવ હોય છે. જો તમે તરબૂચને લાંબા સમય સુધી સંગ્રહિત કરો છો અને બાદમાં ખાઓ છો તો તેનો સ્વાદ અને પોષક તત્વો ખરાબ થઈ જાય છે. તરબૂચ ખાવા યોગ્ય પણ નથી રહેતું.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.