વડોદરામાં આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની 5 જેટલી ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથધરી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ અલકાપુરી સયાજીગંજ કરેલીબાગ નિઝામપુર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનમાંથી નમુના લીધા હતા. આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઈના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ ઉપરાંત જામનગરમાં પણ રક્ષાબંધનના તહેવારને લઈને આરોગ્ય વિભાગન એક્શનમાં આવી ગયું છે. મિઠાઈ અને ફરસાણ વિક્રેતાઓની પેઢીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતુ. તીનબી બેડી ગેઈટ પંચેશ્વર ટાવર રોડ પરની પેઢીઓમાં તપાસ થઈ હતી. જ્યારે 17 પેઢીઓમાં ચેકિંગ દરમિયાન 12 કિલો અખાધ મિઠાઈનો નાશ કરવામાં આવ્યો છે.