વડોદરામાં આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં ટીમ બનાવી અને તપાસ હાથ ધરી. તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આરોગ્ય વિભાગની તપાસમાં સડેલા બટેટા મળી આવ્યા છે. અને જ્યાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે ત્યાં ચારેય બાજુ ગંદકી હતી. ત્યારે આવી પાણી પુરી ખાતા પહેલા તમે ચેતી જજો. આ સળેલા બટેટા તમને બીમાર કરી શકે છે.