નવા વેરિયન્ટ અંગેની તૈયારી અને તકેદારી અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં 11 મહત્વની માહિતી આપી છે.
કોરોનાનું સુરક્ષા કવચ વેકસીન છેઃ મનોજ અગ્રવાલ
પ્રથમ ડોઝ 93%, બીજો ડોઝ 64% લોકોને અપાયોઃ મનોજ અગ્રવાલ
ત્રીજી લહેર માટેની તમામ તૈયારી છેઃ મનોજ અગ્રવાલ
વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. યુરોપિય દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. ત્યારે હવે ભારત સરકારે પણ નિયમો કડક કરી દીધા છે. ત્યારે ગુજરાત સરકાર આ નવા વેરિયન્ટને લઇને કેટલી તૈયાર છે? આ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
મનોજ અગ્રવાલે જણાવ્યું કે, નવા વેરિયન્ટ માટે કેન્દ્ર સરકારે સૂચના આપી હતી. કોરોનાનું સુરક્ષા કવચ વેકસીન છે. પ્રથમ ડોઝ 93%, બીજો ડોઝ 64% લોકોને આપ્યો છે. તો વાઇબ્રન્ટ ગુજરાત માટે ઉધોગ વિભાગ આયોજન કરી રહ્યું છે. તો આરોગ્ય-મહેસુલ વિભાગના સહયોગથી પોર્ટલ તૈયાર કરવામાં આવશે.
મનોજ અગ્રવાલે કરી 11 મહત્વની વાત
ત્રીજી લહેર માટેની તમામ તૈયારી છે
51 નવી જગ્યાએ RT-PCR લેબ તૈયાર કરાઈ છે
ઓક્સિજનની ઘટ ન રહે તેવી વ્યવસ્થા કરી છે
દવાનો પૂરતો જથ્થો રહે તેવી વ્યવસ્થા છે
ઓક્સિજનની ઘટ ન રહે તેવી કરાઈ વ્યવસ્થા
દવાઓનો પૂરતો જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મળ્યો
માસ્ક અને સેનિટાઇઝરના ભાવ કરાર થયા છે
બેડ અને બાળકોના બેડની સંખ્યા પણ વધારાયા
હ્યુમન રિસોર્સિસની તાલિમ પણ મોટાપાયે અપાઈ
ICMRના નિયમથી પણ વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ
કોરોના મૃતકોના પરિવારજનોને સહાય માટે શરૂ કરાશે પોર્ટલ
ગુજરાત સરકાર સહાય માટે બનાવશે એક પોર્ટલ
મનોજ અગ્રવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોર્ટલ બનાવવાના ગુજરાતનો પરિપત્ર મોડલ તરીકે સ્વીકાર્યો છે, આ પરિપત્ર દેશના તમામ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે, વકીલોએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટને પરિપત્ર ગમ્યું છે. તેના અનુસંધાનમાં પોર્ટલ પણ બનાવવામાં આવશે, લોકોને ફિઝિકલ ક્લેઇમ જમા કરાવવા માટે પણ સુવિધા રહે અને ઓનલાઇન પણ સુવિધા રહે. આ કામગીરી મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગ બન્ને મળીને NICના સહયોગથી પોર્ટલ બનાવી રહ્યા છે. ટુંક સમયમાં પોર્ટલ શરૂ થઇ જશે. ફિઝિકલી કામગીરી ચાલુ છે અને તે રહેશે જ.