લાંબા કલાકો સુધી એક જ જગ્યા પર બેસવાથી પીઠમાં દુ:ખાવો શરૂ થવા લાગે છે. જો કે, પીઠમાં દુ:ખાવાના ઘણા કારણ હોય છે, પરંતુ જ્યારે આ દુ:ખાવો વધી જાય છે ત્યારે તમારા કામ પર અસર પડે છે. મોટાભાગના લોકો કમરમાં દુ:ખાવાને કારણે અનેક દવાઓનું સેવન કરે છે.
એક જ જગ્યા પર બેસવાથી પીઠમાં દુ:ખાવો થાય છે
તમારા ડાયટમાં આ શાકભાજીને એડ કરો
આ વસ્તુઓનુ સેવન કરવાથી પીઠના દુ:ખાવામાં મળશે આરામ
આમ કરવાથી અમુક સમય સુધી દુ:ખાવો ઓછો થાય છે. પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થાય છે. એવામાં તમારે પોતાના ડાયટ પર ધ્યાન આપવુ જોઈએ. જેથી તમારે તમારા ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરવી જોઈએ જેનાથી પીઠના દુ:ખાવામાં આરામ મળી શકે. આવો જાણીએ કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવાથી પીઠના દુ:ખાવામાં આરામ મળે.
પીઠનો દુ:ખાવો થતાં આ વસ્તુઓનુ કરો સેવન
શાકભાજીનુ કરો સેવન
જો તમે લાંબા સમયથી પીઠના દુ:ખાવાથી પરેશાન છો તો તમને બ્રોકોલી, કોબીજ, પાલક વગેરે લીલી શાકભાજી તમારા ડાયટમાં એડ કરવી જોઈએ. જેમાં વિટામિન એ, સી ને કે હોય છે. જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે લીલી શાકભાજીનુ સેવન કરવાથી શરીર સારું રહે છે. આ ઉપરાંત તમે ગાજર, ખાંડ બીટને તમારા ડાયટમાં એડ કરી શકો છો.
રસવાળા ફળનુ કરો સેવન
ફળ ખાવાથી અનેક પ્રકારના આરોગ્યના લાભ મળે છે. એવામાં જો લોકો પીઠના દુ:ખાવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તો તેને રસવાળા ફળ ખાવા જોઈએ. જેમ કે સફરજન, અનાનસ, ચેરી, દ્રાક્ષ, નારંગી વગેરે.
હળદરવાળુ દૂધ પીવો
દૂધમાં હળદર નાખીને હળદરવાળુ દૂધ પીવુ તમારા આરોગ્ય માટે ગુણકારી હોય છે. હળદરના સેવનથી શરીરમાં સોજા ઘટી જાય છે. જેનાથી પીઠમાં દુ:ખાવામાંથી રાહત મળે છે. હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેથી જો તમે લાંબા સમય સુધી પીઠના દુ:ખાવાથી પરેશાન છો તો તમે હળદરવાળુ દૂધ પી શકો છો.