જે વ્યક્તિ વધારે સમય સુધી બેઠાડું જીવન જીવતા હોય છે તેમનું પેટ સમય સાથે વધવા લાગે છે. પછી ઘણા પ્રયત્નો કરે તો પણ પેટ ઓછુ થતું નથી. આવા લોકો માટે અમે એક એવો રામબાણ ઇલાજ લાવ્યા છે. આજે અહીં અમે આપને જણાવીશું કે, કેવી રીતે જીમ ગયા વિના અને વર્કઆઉટ કર્યા વિના ઘરે બેઠા આપનું વજન ઓછું કરી શકો છો.
આ વાત જોકે, આપને થોડી અટપટી લાગશે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે રોજ માત્ર 2 ઇલાયચી ખાઇને શરીર પરના વધારાના વજનને ઘટાડી શકો છો. ઇલાયચી, એક એવી ચીજ છે, જે ભારતીય રસોઇનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ઇલાયચી ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ અપચો અને શરદી અને ખાંસી જેવી ઘણી બીમારીઓ દૂર કરવામાં અકસીર ઘરેલૂ ઉપાય છે.
જાણીને આશ્ચર્ય થશે કે, ઇલાયચી ન માત્ર પેટમાં જમા ફેટ ઓછો કરે છે પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલ કરવાની સાથે-સાથે ગ્લૂકોઝ ટોલરેન્સમાં પણ સુધારો લાવે છે. ઇલાયચી પાચનતંત્ર યોગ્ય રાખે છે પરિણામે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
બહાર નીકાળે છે ઝેરીલા પદાર્થ
આયુર્વેદ અનુસાર, કેટલીક બીમારીઓને કારણે શરીરમાં ઝેરીલા પદાર્થ બનવા લાગે છે. આ ઝેરીલા પદાર્થ બ્લડ સર્કુલેશનમાં ખામી ઉભી કરે છે. એનર્જી લેવલ ડાઉન કરે છે. ઇલાયચી એક એવી વસ્તુ છે કે જ અલ્મ જેવા ઝેરીલા પદાર્થને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને અલ્મની ફરિયાદ છે તો ઇલાયચી વાળી મસાલા ચા પીવાથી ખુબ જ ફાયદો મળશે.
બ્લોટિંગમાં રાહત
ઇલાયચી પાચનમાં ખુબ જ મદદ કરે છે. બ્લોટિંગ એટલે પેટ ફુલવું. બ્લોટિંગ અપચાની સ્થિતિમાં થાય છે. ઇલાયચી પેટ અને આંતરડાની સંબંધિત બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. યાદ રાખો કે, જો પાચન બરાબર થતું હશે તો વજન આપમેળે ઓછું થવા લાગશે.
શરીરથી બહાર નીકાળે છે વધારાનું પાણી
જો શરીરમાં પાણી જમા થવા લાગશે તો વજન વધવા લાગે છે. ઇલાયચીનો આયુર્વેદિક ગુણ શરીરમાં યુરીનના રૂપે હાજર વધારાના પાણીને બહાર નીકાળવામાં મદદરુપ બને છે.
ખરાબ કોલેસ્ટ્રોલની છુટ્ટી
ઇલાયચીમાં એવું તત્વ છે જે ફેટ ઓછુ કરવાનું કામ કરે છે. આ કારણે જ ઇલાયચી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે.