તમારા ઘરની રસોઇમાં સ્વાદ વધારતા તમાલપત્રનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરી શકો છો. આવું કરવા માટે તમારે માત્ર ૨-૩ તમાલપત્ર એક વાસણમાં નાંખો અને સળગાવો. આવું કર્યા બાદ આશરે ૧૫ મીનિટ સુધી તમારા રૂમનં બહારથી બંધ કરી દો, થોડડાક સમય બાદ તમે રૂમ ખોલશો તો રૂમમાં રિલેક્સિંગ ખુશબુ ફેલાયેલી હશે. એ તમને ઘણી શાંતિ આપશે.
તમાલપાત્રથી દાંતની પીળાશ ઓછી થાય છે
તમાલપત્રના ધુમાડામાં બેસવાથી તણાવ દૂર થાય છે
તમાલપત્રમાં મોજૂદ કેટલીક ઔષધીયો ગુણોના કારણે આ બૉડીનો સોજા ઓછા કરવામાં મદદરૂપ રહે છે
ઇમ્યૂન સિસ્ટમ
તમાલપત્રના ધુમાડાને ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવવા વાળું પણ માનવામાં આવે છે. યૂજેનૉલમાં પણ એન્ટી ઑક્સીડેન્ટ ગુણ હોય છે અને તમાલપત્ર અન્ય વિટામીન અને મિનરલથી ભરપૂર હોય છે જે બૉડીના સારા કામો માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે તમાલપત્રના પાનને સળગાવવા અને અંદર લેવા તમારી પ્રતિરક્ષાની પ્રણાલીને પ્રોત્સાહન આપવાની ક્ષમતા રાખે છે.
તણાવથી બચાવે
જો તમને હંમેશા તણાવ રહે છે તો દરરોજ રાતે સૂતા પહેલા ૨ તમાલપત્ર લઇને રૂમમાં સળગાવો, પછી એના ધુમાડામાં બેસો, આવું કરવાથી તમારો તણાવ અને તમામ પરેશાનીઓ દૂર થઇ જશે. જી હાં તમાલપત્ર અરોમેટિક હોય છે. જે રીતે આપણે આપણી જાતને રિલેક્સ કરવા માટે અરોમા થેરાપીનો ઉપયોગ કરીએ છીએ તમાલપત્ર દ્વારા તમે એવો જ આનંદ લઇ શકો છો.
સોજા ઓછા કરે
તમાલપત્રમાં મોજૂદ કેટલીક ઔષધીયો ગુણોના કારણે આ બૉડીનો સોજા ઓછા કરવામાં મદદરૂપ રહે છે. ખાસ કરીને સાંધામાં થતો સોજા, આવું એટલા માટે કાર કે એમાં યૂજેનૉલ નામનું કેમિકલ રહેલું હોય છે જે નેચરલ એન્ટી-ઇન્ફ્લેમેટરીના રૂપમાં કામ કરે છે.
દાંતની પીળાશ ઓછી કરે છે
જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર અને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.
કિડની સમસ્યા દૂર કરે છે
કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્ર અને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.
આ ઉપરાંત તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દરદીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે.