મીઠાના સ્વાદનો રાજા કહેવામાં આવે છે, કેમકે મીઠા વગર કોઇપણ વાનગી અધૂરી છે. ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવ્યુ હોય પરંતુ જો તેમા મીઠું ન હોય તો ભોજન અધૂરુ લાગે છે.
ઉપવાસમાં મીઠાની જગ્યાએ સામાન્ય રીતે સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા એવા ઘરો પણ છે જ્યાં મીઠાની જગ્યા રોજિંદી રસોઇમાં સિંધવનો ઉપયોગ કરવામાં આવે છે. સિંધવને શુદ્ઘ મીઠું માનવામાં આવે છે. આ પહાડી અથવા તો લાહોરીના નામે ઓળખાય છે, આજે અમે તમને જણાવીશુ સિંધવ મીઠું ખાવાના ફાયદા વિશે....
- આયુર્વેદમાં પણ સિંધવ મીઠાને સૌથી સ્વાસ્થ્યવર્ધક મીઠું માનવામાં આવે છે. કારણે કે તે 3 પ્રકારના દોષ- કફ, વા અને પિત્તને દૂર કરે છે.
- બહુ ઓછા લોકો જાણતા હશે કે, આ મીઠામાં શરીર માટે સૌથી જરૂરી તત્વ જેવા લોહ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક વગેરે શામેલ છે.
- સિંધવ મીઠું જમવાની ઈચ્છાને નિયંત્રિત કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ફેટ સેલ્સને પણ ઘટાડે છે.
- સિંધવ મીઠું સાથે લીંબુનો રસ મેળવી પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે અને પેટના કીડાઓની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.
- રોજ સિંધવ મીઠું ખાવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે સાથે જ ટોક્સિન (હાનિકારક તત્વો)ને બહાર કાઢે છે.
- સિંધવ મીઠું ખરાબ પાચનના ઉપચારમાં ખૂબ અસરકારક છે. આ એક ઔષધિની જેમ કામ કરે છે. જેમાથી પાચન સુધાર થાય છે અને ભૂખ અને ગેસમાં પણ રાહત મળે છે.
- સાધારણ મીઠું આયોડિનયુક્ત હોય છે અને ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. બીજી તરફ સિંધવ મીઠુંમાં કોઇપણ પ્રકારની અશુદ્ઘિઓ કે રસાયણ હોતા નથી.