ડાયેટિંગ કરનાર અથવા તો વજન ઉતારવાની પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિ એક વાત તો માની જ જશે કે કમર અને સાથળ પરની ચરબી ઓછી કરવી એ સૌથી વધારે મુશ્કેલ છે પરંતુ આજે અમે તમને એક એવા કંદમૂળ વિષે જણાવવા જઈ રહ્યા છે જે ખાવાથી તમારી કમર પરની ચરબી ઝડપથી ઘટવા માંડશે. કરિના કપૂર ખાનની ડાયેટિશિયન ઋજુતા દિવેકર પણ સૂરણ ખાવા માટે સલાહ છે. સૂરણના ફાયદા જાણીને તમે પણ નિયમિત સૂરણ ખાતા થઈ જશો.
આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં સ્થૂળતાનો સમસ્યામાં વધારો
બાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે ફાયદારૂપ છે સૂરણ
- બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.
- પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.
- જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે.
- સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યાનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે.
- આ સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.
કેવી રીતે ખાવુ જોઈએ?
વાસ્તવમાં સૂરણ એ આપણુ ફાસ્ટ ફૂડ છે. તેને બાફીને શાક બનાવી ખાઈ શકાય. અથવા તો તેને શેલો ફ્રાય કરીને પણ ખાઈ શકાય છે.