માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા.
ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી
તાંદળજાની ભાજી ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગો રાખે છે દૂર
પેટની ગરમી દૂર કરે છે તાંદળજાની ભાજી
તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં ડોક્ટરો પણ પ્રોટીન અને વિટામિન સી લેવાની સલાહ આપે છે. એવામાં કોવિડ-19ના સમયમાં તાંદળજાની ભાજીનું સેવન બેસ્ટ છે.
તાંદળજાની ભાજી ખાવાથી શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે. તેમાં રહેલાં તત્વો રોગ પ્રતિકારક વધારે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરદી-ખાંસીની સમસ્યાથી બચાવે છે.
તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. સાથે જ આ ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.
તાંદળજાની ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે. તેથી જ આ ઋતુમાં તાંદળજાની ભાજી જરૂર ખાવી જોઈએ. તાંદળજામાંથી ભરપૂર વિટામિન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં કેલરી પણ ઓછી માત્રામાં હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ભાજીમાં ફાયબર સારી માત્રામાં હોય છે. તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ સાંધાઓના દર્દમાં આરામ આપે છે.
પેટની ગરમીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યા થાય છે. જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે.
એસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે છે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે છે.