ઉનાળો શરૂ થતા જ ઠંડો અને તાજો શેરડીના રસ પીવાની ઇચ્છા થઇ જાય છે. ભરબપોરે તાજે શેરડીનો રસ પીવાની મજા જ કંઇક અલગ હોય છે. શેરડી રસ આમ તો બધા જ લોકોને ભાવતો હોય છે પરંતુ જેમણે ના ભાવતો હોય તેમણે જો તેના સ્વાસ્થ્યને લઇને લગતા ફાયદા વિશે ખબર પડી જાય તો તેવો પણ સેવન કરવાનું શરૂ કરી દેશે.
શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણો છે. કેન્સર જ નહી પથરી કાઢવામાં આ પણ શેરડીનો રસ ઘણો ઉપયોગી સાબિત થાય છે.
- શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે. જેના લીધે કેન્સરના ખતરાથી બચી જવાય છે.
- શેરડીના રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે. એટલે જો તમે પણ પથરીથી પરેશાન છો તો અથવા તો તેના ખતરાથી બચવા માંગો છો તો શેરડીના રસનું ચોક્કસથી સેવન કરો.
- જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ ચોક્કસથી પીવી જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો. અને ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
- શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. જો તમે હાડકા મજબૂત બનાવવા માગતો હોવ અને તમે એથલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદારૂપ સાબિત થશે. રોજ જોગિંગ પછી એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઇએ. આમ કરવાથી હાડકાંનો વિકાસ થશે અને મજબૂતી મળશે.
- આર્યુવેદમાં જણાવવામા આવ્યુ છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો મતબલ છે કે, એસિડિટી અને પેટના અગ્રિનીની સારવાર માટે પણ સારો છે.
- શેરડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમુદ્ઘ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્થો બનાવે છે.