ઉનાળો શરૂ થઇ ગયો છે અને આ ઋતુ કેરીના રસ સિવાય લોકો તરસ છૂપાવવા અને લૂથી બચવા માટે શેરડીનો રસ પીવે છે. શેરડીનો રસ કુદરતી રીતે ખૂબ જ લાભદાયી છે. એટલું જ નહીં પણ તે આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી પણ સમૃદ્ધ છે. સામાન્ય શરદી અને તાવ વખતે શેરડીનો રસ તમારા શરીરમાં પ્રોટીનનું સ્તર વધારી દે છે. આ ઉપરાંત પણ શેરડીના બીજા અનેક ફાયદાઓ પણ છે.
- પથરીની સારવારની સાથેસાથે શેરડીનો રસ પીવામાં આવે તો કિડની સ્ટોન્સ ફટાફટ દૂર થઇ જાય છે. આ તેનો સૌથી મોટો ફાયદો છે.
- આયુર્વેદ અનુસાર શેરડીનો રસ તમારા લિવરને મજબૂત કરે છે અને આ પ્રકારે કમળાના દર્દીને મદદરૂપ થાય છે. કમળો વખતે શેરડીનો રસ શરીરમાં જરૂરી પોષણ અને પ્રોટીનની ઉણપને પૂરી કરે છે.
- શેરડીના રસનો એક વધારે સ્વાસ્થ્યપૂર્ણ લાભ એ છે કે તે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયર્ન અને પોટેશિયમ જેવાં પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં એક ગ્લાસ ઠંડો શેરડીનો રસ શરીરનું સ્વાસ્થ્ય અને ઊર્જા એ બંને માટે લાભદાયક છે. આ રસ શરીરમાં પ્લાઝમા અને તરલ પદાર્થ બનાવે છે જે થાકને મિનિટોમાં દૂર કરી દે છે.
- શેરડીના રસમાં કુદરતી રૂપે શુગર હોય છે જે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારે છે અને આ પાણીની ઉણપને પણ પૂરી ક કરે છે. આના સેવન પછી તમે તાજગી અને ઉર્જાવાન મહેસૂસ કરશો. આ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા પણ મદદગાર છે.
- શેરડીનો રસ પ્રોસ્ટે કેન્સર અને બ્રેસ્ટ કેન્સરથી બચાવવામાં ઉપયોગી થાય છે.
- શેરડીના રસએ મોઢાના ખરાબ શ્વાસ અને દાંતોને સડતા અટકાવવામાં મદદ કરે છે.