ફણગાવેલું અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. હવે ઘઉંની જ વાત કરો. ઘઉંના લોટથી બનતી રોટલી તો સૌથી સહજ અને પૌષ્ટિક ખાદ્ય જ છે ફણગાવેલા ઘઉં પણ તમને ખૂબ જ વિટામિન્સ અને પૌષ્ટિક તત્વ આપી શકે છે. ગુણોથી ભરપૂર હોવાની સાથે જ આ બજેટ ફ્રેન્ડલી પણ છે. જાણો એ ખાવાના ફાયદા.
ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની ઉર્વરક ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે.
આટલું જ નહીં આ પ્રકારના ઘઉંના સેવનથી સ્કીન અને વાળ પણ ચમકદાર બનેલા રહે છે.
કિડની ગ્રંથિઓ તંત્રિકા તંત્રની મજબૂત તથા નવી લોહી કોશિકાઓના નિર્માણમાં પણ એનાથી મદદ મળે છે.
ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વો શરીરના વધારેના વસાનું પણ શોષણ કરી લે છે. ફણગાવેલા ઘઉં શરીર માટે શક્તિવર્ધક ટોનિકની જેમ જ હોય છે.
આટલું જ નહીં ફણગાવેલા ઘઉં ખાવાથી શરીરનું મેટાબોલિઝ્મ રેટ વધે છે. આ શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર નિકાળીને લોહી શુદ્ધ કરે છે.
ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ રહે છે અને એનાથી નવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે.
એમાં ફાઇબર રહેલું હોવાના કારણે એના નિયમિત સેવનથી પાચન ક્રિયા પણ સુચારૂ રહે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય એમના માટે ફણગાવેલા ઘઉંનું સેવન ફાયદાકારક છે.
ઘઉંને આવી રીતે ફણગાવો
ઘઉં ફણગાવવા માટે સારી ગુણવત્તાના ઘઉં લો.
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે પાણીમાં પલાળી દો.
આ ઘઉંને દિવસમાં ત્રણ વખત પાણીથી ધોવો .
હવે ઘઉંને સ્પ્રાઉટ મેકરમાં અથવા કપડામાં બાંધીને રાખો.