શિયાળાની ઋતુમાં લીલી ડુંગળી બજારમાં સરળતાથી મળી જાય છે. લીલી ડુંગળીનો ઉપયોગ ગાર્નિશ કરવા માટે અને સાથે સલાડમાં કરવામાં આવે છે. આ સિવાય કેટલાક લોકો લીલી ડુંગળીનું સ્વાદિષ્ટ શાક પણ બનાવે છે. ગાર્નિશિંગ અને સલાડ સિવાય તેનો ઉપયોગ પકવાનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે તો કેટલાક લોકો તેનો ઉપયોગ સુંગધ વધારવા માટે પણ કરે છે પરંતુ સ્વાદ અને સુંગધ વધારવા સિવાય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લીલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે.
જી હા લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારાક છે. તમને જણાવી દઇએ ચીનમાં લીલી ડુંગળીનો ઉપયોગ દવા માટે કરવામાં આવે છે કેમકે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન A વિટામિન C અને વિટામિન B2 મળી રહે છે અને તેમાં કેલેરીની માત્રા પણ ઓછી હોય છે જેથી વજન વધવાનું પણ ટેન્શન રહેતું નથી.
આ સિવાય કૉપર ફોસ્ફરસ મેગ્નીશિયમ પોટેશિયમ ક્રોમિયમ અને મેગેનીંઝ જેવા સ્વાસ્થ્ય માટે ઉપયોગી તત્વો ભરપૂરમાત્રામાં મળે છે. લીલી ડુંગળીમાં રહેલું ફાઇબર શરીરને વધારે સારી રીતે પોષણ આપવાનું કામ કરે છે. જાણો લીલી ડુંગળીથી મળતા ફાયદાઓ વિશે...
- ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ સારું હોય છે જે બલ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે એટલે કે બલ્ડ પ્રેશરના દર્દીઓ શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરે તો તેમના ફાયદો થાય છે.
- લીલી ડુંગળીમાં ક્રોમિયમનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને સાથે જ લીલી ડુંગળી ખાવાથી ગ્લુકોઝ ટોલરન્સ સુધરે છે.
- લીલી ડુંગળીમાં પેક્ટિકન હોય છે. પેક્ટિકન એક પ્રકારનું ફ્લૂઇડ્સ કાર્બોહાઇડ્રેટ છે જે પેટના કેન્સર માટે લાભદાયી છે.
- લીલી ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લેમટરી અને એન્ટીહિસ્ટામિનમ ગુણ હોય છે. આ જ કારણે સંધિવા અને અસ્થમા જેવી બિમારીઓમાં આરામ મળે છે.
- લીલી ડુંગળીમાં વિટામિન C અને વિટામિન K હોય છે જે હાડકાંના વિકાસ અને મજબૂતી આપવામાં ગુણકારી છે. આ સિવાય લીલી ડુંગળીમાં સલ્ફર પણ ભરપૂરમાત્રામાં મળી જાય છે જેના સેવનથી વિભિન્ન પ્રકારના કેન્સર થવોનો ખતરો ઓછો થઇ જાય છે.