ઉત્તરાયણમાં તમે ચોક્કસથી તલની ચીક્કી અને તલના લાડુ ખાધા જ હશે, તલની ચીક્કી તમને ભાવતી પણ બહુ હશે પરંતુ તે સ્વાસ્થ્યના રીતે પણ ફાયદારૂપ થાય છે.
સામાન્ય રીતે શિયાળામાં સૌથી વધારે વસાણા ખાવાનું કહેવામાં આવે છે. ઠંડકવાળા આવા વાતાવરણમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે અને તેના માટે વસાણા ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તલનો ઉપયોગ માત્ર ચીક્કી, લાડુ કે વઘારમાં કરીને સ્વાદ વધારવા માટે જ નથી કરવામા આવતો પરંતુ સ્વાસ્થ્યના રીતે ફાયદા રૂપ હોવાને કારણે શિયાળા સિવાય અન્ય ઋતુમાં તલ ખાવા માટે સલાહ આપવામાં આવે છે. જાણો તલના સેવન કરવાના ફાયદા વિશે….
શિયાળામાં તલ ખાવાથી શરીરમાં ખોવાયેલી ઉર્જા શક્તિ પાછી આવે છે. તલમાં મોને સેચુરેટેડ ફેટી એસિડ હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને એચડીએલમાં વધારો કરે છે.
તલમાં માનસિક ક્ષતિને ઘટાડવાનો ગુણ રહેલો હોય છે, જેથી તને તણાવ અને ડિપ્રેશનથી મુક્ત રહી શકો છો. દરરોજ થોડી માત્રામાં તલનું સેવન કરવાથી માનસિક ક્ષતિમાં ઘટાડો કરી શકાય છે.
તલથી બનેલી વસ્તુઓ ખાવાથી કબજિયાતની તકલીફમાંથી છૂટકારો મળે છે. કાળા તલને ચાવીને ખાવાથી અથવા તો ઠંડા પાણીમાં નાખીને પીવાથી બાવાસીરની સમસ્યા પણ ઘટાડો થાય છે.
કેટલાક લોકો ખાંસીને સતત થતી રહેતી હોય છે જેવી ઋતુ બદલાય અને શરદી-ખાંસીની અસર શરીર પર જોવા મળે છે. ખાસ કરીને સુખી ખાંસી થાય ત્યારે તલની સાથે થોડી મિશ્રી ખાવાથી લાભ મળે છે. તલના તેલમાં લસણની એક કળી નાખીને થોડું ગરમ કરીને તેને કાનમાં નાખવાથી પણ કાનનો દુખાવો દૂર કરી શકાય છે. તેલથી શરીર પર મસાજ કરવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે.
પ્રાચીન સમયથી સુંદરતા જાળવવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. તલના કેટલાક દાણા દૂધમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી લો.આ ઉપાયથી તમારો નિખાર વધી જશે. તલના તલથી માલિક કરવાથી પણ ત્વચા સ્વસ્થ રહે છે.
શરીરનાં કોઇપણ ભાગની ચામડીમાં જ્યારે બળતરા થાય ત્યારે તલને પીસીને તેમાં ઘી અને કપૂર નાખીને તે જગ્યા લગાવવાથી સમસ્યા દૂર થાય છે.
તલમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ અને ગર્ભના વિકાસ માટે મદદરૂપ થાય છે.
તલ, આદુ, મેથી, અશ્વગંધા બધાને સમાન માત્રામાં મેળવીને પાવડર તૈયાર કરો. રોજ સવારે આ ચૂરણનું સેવન કરવાથી સંધિવાની સમસ્યા દૂર થાય છે. તલના સેવનથી કફ અને બળતરામાં રાહત મળે છે.
તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે કેન્સરના કોષોને વઘતા અટકાવે છે. પોતાની આ ખાસિયતને કારણે લંગ કેન્સર, આંતરડાનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર થવાની આંશકાને ઘટાડે છે.
તલમાં ઝિંક અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને સુશીરતાની સંભાવનાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
તલ વાળ માટે પણ ફાયદારૂપ છે. તલના તેલના ઉપયોગથી વાળને લાભ મળે છે. તલના તેલથી વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મળે છે.