હાઇપર ટેન્શન કેમ પછી હાઇ બ્લડ પ્રેશરએ હ્ર્દયથી જોડાયેલો એક ગંભીર રોગ છે.
હાઇ બ્લડ પ્રેશરએ હ્ર્દયથી જોડાયેલો એક ગંભીર રોગ
દાડમમાં રહેલા પોષક તત્વો હ્રદયને સારું રાખે છે
શરીરમાં લોહીનું ભ્રમણ એકદમ સરખું રહે છે
હાઇ બ્લડ પ્રેશરએ હ્ર્દયથી જોડાયેલો એક ગંભીર રોગ
હાઇપર ટેન્શન કેમ પછી હાઇ બ્લડ પ્રેશરએ હ્ર્દયથી જોડાયેલો એક ગંભીર રોગ છે. હાઇ બ્લડ પ્રેશરમાં સખત માથાનો દુખાવો, શ્વાસ લેવાં તકલીફ થવી, છાતી હમેશા ભારે થઈ જવી, વારંવાર ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું, પેશાબમાં પણ લોહી નીકળવું આ બધી પ્રકારની સમસ્યાઓ થાય છે. આ બધુ જ મોટાભાગે ખરાબ લાઈફસ્ટાઈલને કારણે થાય છે. હાઇ બીપીની બીમારીથી પીડાતા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે. પણ આ હાઇ બ્લડ પ્રેશરની બીમારીને પોતાની લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને બદલી શકાય છે. આજે આવા દર્દીઓ માટે દાડમનું કેટલું મહત્વ છે અને તે કેટલું ફાયદાકારક છે તેના વિશે સમજાવીશું.
દાડમમાં રહેલા પોષક તત્વો હ્રદયને સારું રાખે છે
દાડમમાં રહેલા પોષક તત્વો હ્રદયને સારું રાખવામાં ઘણી મદદ કરે છે. જેમાં એવા વિટામીન્સ અને મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સિટી લીપોપ્રોટીનના લેવલને એકદમ કંટ્રોલમાં રાખે છે. હવે જો તેમાં કોલેસ્ટ્રોલની માત્રા જો વધારે હોય તો હ્રદયથી જોડાયેલી બીમારીઓનો ખતરો એકદમ વધી જાય છે.
શરીરમાં લોહીનું ભ્રમણ એકદમ સરખું રહે છે
દાડમને ફળ રૂપે ખાવાથી કે પછી તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું ભ્રમણ એકદમ સરખું રહે છે. કારણકે તેમાં આયર્ન વધુ માત્રામાં હોય છે જે હિમોગ્લોબિનને એકદમ જાળવી રાખે છે. તેનું સેવન કરવાથી હાર્ટમાં લોહીનું ભ્રમણ વ્યવસ્થિત થવાથી ઑક્સીજનનું પ્રમાણ ઘટતું નથી. સાથે જ તે ઇન્સ્યુલીન સેન્સેટીવીટીને વધારે સારી કરે છે. એવામાં ડાયાબિટીસના રોગીઓને આ એકદમ ફાયદાકારક રહે છે.