ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમને હવે શાક માર્કેટમાં પરવર જોવા મળી રહ્યાં હશે. આમાં અઢળક ગુણો રહેલાં છે. તો ચાલો જાણીએ પરવરના જબરદસ્ત ફાયદાઓ.
પરવર સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
પરવરમાં અઢળક ગુણો રહેલાં છે
પરવર પેશાબ સંબંધિત સમસ્યાઓના ઈલાજ માટે પણ ખૂબ જ લાભદાયી છે
પરવર અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેમાં વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ સામેલ છે. પરવર પેશાબ સંબંધિત સમસ્યાઓ, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ માટે પણ ખૂબ જ લાભદાયી છે. કબજિયાત, સ્કિન સમસ્યા, એજિંગ, પાચન સંબંધિત સમસ્યા જેવી અનેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્યૂરીફાઈ
આયુર્વેદ અનુસાર પરવર શરીરમાં બ્લડ પ્યૂરીફાઈ કરવામાં મદદ કરે છે તથા સ્કિનને સ્વસ્થ રાખે છે. હકીકતમાં શરીરમાં લોહીનું સાફ થવું જરૂરી છે. જેનાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. એવામાં પરવર ઉનાળામાં મળતું બેસ્ટ શાક છે. જે બ્લડ પ્યૂરીફાઈ કરે છે.
પાચનમાં સુધાર
પરવર ફાઈબરથી ભરપૂર છે. પાચનપ્રક્રિયાના સુધારમાં ફાઈબર મહત્વનો ભાગ ભજવે છે. તે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને લિવરની અનેક સમસ્યા દૂર કરે છે. નિયમિતરૂપે પરવરનું સેવન કરવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે.
એન્ટી-એજિંગ
પરવરમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન એ અને સી ભરપૂર હોય છે. જે તમારા શરીરમાં ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરીને એન્ટી-એજિંગનું કાર્ય કરે છે.
કબજિયાત
કબજિયાત તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. જો તમારું પેટ લાંબા સમય સુધી બરાબર સાફ નથી થતું તો તે ચિંતાજનક બાબત છે. પરવર તમને કબજિયાતથી રાહત આપે છે.
બ્લડશુગર
બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ પરવરનું સેવન બેસ્ટ છે. પરવર બનાવતી વખતે તેના બીજ ફેંકવા નહીં. તેનું પણ સેવન કરવું. આનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
વજન ઘટાડવામાં લાભદાયી
પરવરમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. જેથી તેનુંનિયમિત સેવન કરવાથી તમારું વજન પણ નિયંત્રિત રહે છે. પરવર પેટને ભરેલું રાખે છે, જેથી તમને જલ્દી ભૂખ લાગતી નથી.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આયુર્વેદ અનુસાર પરવર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઋતુ બદલાવાથી થતાં ફ્લૂ અને ઠંડીથી પણ રાહત આપે છે.
કમળામાં લાભદાયી
લિવર માટે પરવર લાભદાયી છે, જેથી તે કમળાના ઉપચાર માટે મદદ કરે છે. પરવરનું સેવન કરવાથી લિવરની કાર્યક્ષમતામાં વધારો અને પાચનપ્રક્રિયામાં પણ સુધારો થાય છે.
પરવળના અન્ય આયુર્વેદિક ઉપાય
જો તમને માથામાં દુખાવો થતો હોય તો પરવરને પીસીને લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.
પરવરના પાનને ઘીમાં તળીને સેવન કરવાથી આંખની સમસ્યા દૂર થાય છે.
સ્મોલ પૉક્સના શરૂઆતી લક્ષણમાં તેના પાનને મુલેઢી મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી રાહત થાય છે.
કોથમીર સાથે પરવરના પાનને સમાન માત્રામાં લઈને તેનો ઉકાળો પીવાથી તાવમાં રાહત મળે છે.