ફાલસા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. ફાલસા લોહી શુદ્ધ કરે છે એસિડિટી ઘટાડે છે પિત્તનું શમન કરીને શરીરને ઠંડક આપે છે અને એમાં રહેલાં ખાસ કેમિકલ્સ કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે. ફાલસાને ક્રશ કરીને ખડી સાકર મેળવીને બનાવેલું શરબત અનેક તકલીફોને મટાડે છે. જાણો ફાલસાના શરબતના ફાયદાઓ....
-હૃદયને હેલ્ધી રાખવા માટે 20 ગ્રામ ફાલસા 5 કાળા મરી ચપટી સિંધાલૂણ મીઠું લીંબુના રસના થોડાં ટીપાં નાખીને મિશ્રણ તૈયાર કરો. પછી તેને 1 કપ પાણીમાં મિક્સ નિયમિત રીતે પીવામાં આવે તો હૃદયની દુર્બળતા અનિયમિત હૃદયના ધબકારાની પ્રોબ્લેમ દૂર થાય છે.
-લોહીની કમીની પ્રોબ્લેમને દૂર કરવા ફાલસા ખાવા જોઈએ. તેનાથી શરીરમાં લોહી વધે છે.
-શરીરમાં બળતરાની પ્રોબ્લેમ થતી હોય તો રોજ ફાલસા ખાવા અથવા તેનું શરબત પીવું.
-શરીરમાં પરુવાળી ફોલ્લીઓ થઈ હોય તો ફાલસાના પાન પીસીને તેને લગાવવાથી આરામ મળશે અને પરુ સૂકાય જશે.
-ફાલસા ખાવાથી પેટમાં રહેલું ખરાબ મળ બહાર નીકળી જાય છે.
-પિત્ત વધી જવાને કારણે યુરિનમાં બળતરા થતી હોય પેશાબ પીળો આવતો હોય અથવા તો ઓછો આવતો હોય તો સવાર-સાંજ બે વાર ફાલસાનું શરબત લેવાથી યુરિન પાસ થવામાં સરળતા રહે છે.
-ગરમીને કારણે પેટમાં આમેય નાની-મોટી ગરબડ રહેતી હોય છે. ભૂખ ઓછી લાગે છે પાચન બરાબર ન થતું હોવાથી કબજિયાત અથવા તો અપચાને કારણે પેટમાં ઝીણું દુખ્યા કરતું હોય તો ફાલસાનું શરબત લઈ શકાય. એક મુઠ્ઠી ફાલસાનાં ફળો જમતાં પહેલાં ખાવામાં આવે તો પેટની ગરબડમાં પણ રાહત મળે છે.