પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદા કારક હોય છે એ તો આપણે દરેક જાણીએ છીએ કે પણ આ ખુબ ઓછા લોકો જાણતા હશે કે પપૈયાના પત્તા પણ આપણા સ્વેસ્થ્ય માટે ખુબ સારા હોય છે. શું તમે ક્યારેય પપૈયાના પત્તાનો જ્યૂસ પીધો છે? જો ન પીધો હોય તો તેના ફાયદા જાણ્યા બાદ તમે તેનો રસ પીવાનું શરૂ કરી જરૂરથી શરૂ કરી દેસો.....
ઈન્ફેક્શનથી બચાવે છે
પપૈયાના પત્તાનો જ્યુસ આપણા શરીરમાં ઈમ્યૂનિટીને વધારવાની સાથે આપણા શરીરમાં બેક્ટીરિયાના ગ્રોથને રોકવામાં મદદ કરે છે. તેની સાથે જ આપણને ઘણી બીમારીયોથી પણ લડવાની શક્તિ આપે છે. આ ઉપરાંત તે લોહીમાં વ્હાઈટ સેલ્સ અને પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે.
ડેન્ગ્યુ દર્દી માટે લાભદાયી
પપૈયાના પત્તાનો જ્યૂસ ડેન્ગ્યુ અને મેલરિયાના દર્દીઓ માટે ખુબ લાભકારી ગણાય છે. આ તાવમાં થઈ રહેલી પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાં અશક્તિ આવવા દેતુ નથી.
કેન્સર સેલ્સને વધતા રોકે છે
કેન્સરના દર્દીઓ માટે પપૈયાના પત્તા કોઈ વરદાનતી ઓછા નથી. તેમાં કેન્સરરોધી ગુણ હોય છે જે ઈમ્યૂનિટીને વધારવામાં મદદ કરે છે અને કેન્સરનના સેલ્સને બનતા રોકે છે. કહેવામાં આવે છે કે જો તમે જીવનભર સ્વસ્થ્ય રહેવા માંગો છો તો તેને તમારી ડાયટમાં જરૂર શામેલ કરો.
પીરિયડ્સના દર્દને કરે છે છૂમંતર
માસિક દરમ્યાન થનારા દર્દમાં પણ પપૈયાના પત્તા મદદગાર છે. તેના માટે પપૈયાના પત્તાને આંબલી. મીઠું અને 1 ગ્લાસ પાણીની સાથે ભેળવીને કાઢો બનાવો ઠંડુ કરીને આ કાઢાને પીવાથી ઘણો આરામ મળે છે.