ફળો ખાવાથી આપણને વિવિધ પ્રકારના પોષક તત્વો મળી રહે છે પરંતુ ફળોમાં સૌથી ઉત્તમ હોય તો તે છે પપૈયું
પપૈયાનું સેવન કરો અને રહો ફીટ
પપૈયા-મધનું સેવન કરવાના અનેક ફાયદા
પેટ સંબંધિત બીમારી માટે લાભદાયી
જો તમને પેટની તકલીફ હોય કે પછી વજન નિયંત્રિત કરવુ હોય તો પપૈયુ સૌથી બેસ્ટ ફ્રૂટ છે. અને તેમાં પણ જો પપૈયા સાથે મધ ખાઓ તો ડબલ હેલ્થ બેનિફિટ મળે છે. આ બંનેનું મિશ્રણ એલર્જી સામે લડવા, ઘા રુઝાવવા તેમજ ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ સામે અસરકારક છે.
પપૈયુ ફાયદાકારક કેમ?
પૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે. આ ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન A, ફોલેટ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B3 અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. પપૈયામાં હાજર હેલ્ધી એન્ટીઓક્સીડેન્ટ કેરોટીનોઈડ્સ તમને બીમારીઓથી બચાવે છે. બીજી તરફ, જો તમે તેને મધ સાથે ખાઓ છો, તો આ બંને વસ્તુઓ તમને ડબલ લાભ આપશે.
સ્કીનમાં ચમક લાવે ?
પપૈયામાં ઉત્સેચકો મળી આવે છે, જે શરીર અને ત્વચાને સાફ કરવાનું કામ કરે છે. તેને મધ સાથે ખાવાથી પેટ અને આંતરડા સાફ થાય છે. પપૈયા અને મધનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના સેવનથી પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ઓછા થાય છે.
ઇમ્યુન સિસ્ટમ સારી રહે
શિયાળાની ઋતુમાં વાયરસ અને ચેપ સામે રક્ષણ મેળવવા માટે પપૈયાનું સેવન પણ ફાયદાકારક રહેશે. આ બેક્ટેરિયા અને ચેપ સામે લડવામાં મદદ કરશે. પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેનું મધ સાથે સેવન કરવાથી ડબલ પોષણ મળે છે.
કોષો મજબૂત થાય
પપૈયાને મધ સાથે ખાવાથી શરીરને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આ શરીરના કોષોને મજબૂત બનાવે છે. મધ અને પપૈયાનું સેવન ત્વચા માટે પણ સારું છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે.
હૃદયની બીમારીથી બચાવે
પપૈયા અને મધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકોનુ વજન વધારે હોય તેમણે પપૈયાનું સેવન કરવુ જોઇએ. પપૈયાનું સેવન કરવાથી વજન ઓછુ કરી શકાય છે. પપૈયા અને મધમાં પોટેશિયમ અને લિપિડ હોય છે આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે અને મેટાબોલિઝમ પણ વધે છે. દરરોજ મધ સાથે પપૈયાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.