સીઝનમાં ફેરફાર થતાં જ ઘણાં લોકો શરદી, ખાંસી, ગળામાં ઈન્ફેક્શન અને બંધ નાકની સમસ્યા થવા લાગે છે. જો તમને પણ આવું થાય તો એક ઉપાય કરી લો.
બંધ નાક અને ગળામાં ઈન્ફેક્શન માટે અક્સીર વસ્તુ
દવાઓ વિના જ ઘરે ઠીક કરો આ સમસ્યા
ગેસ, એસિડિટીથી લઈ શરદી માટે બેસ્ટ છે આ ઉપાય
નાની-નાની તકલીફોને ઘરેલૂ નુસખાઓથી જ દૂર કરી શકાય છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે એક એકદમ સરળ ઉપાય જણાવ્યો છે. જેને અપનાવીને તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
નેચરલ રીત અપનાવો
દવાઓની જગ્યાએ નાની-નાની તકલીફો નેચરલી જ દૂર કરી શકાય છે. શરદી-ખાંસી, બંધ નાક, એસિડિટી, ગેસ, ગળામાં ઈન્ફેક્શનને દૂર કરવા માટે સાકરને બહુ જ ફાયદાકારક ગણાવી છે.
ગળામાં ખારાશ, બંધ નાક, શરદી-ખાંસીના ઈલાજ માટે સાકર ટ્રાય કરો. આયુર્વેદમાં સાકરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ સિવાય એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાં પણ તે ફાયદાકારક છે. તમે સાકરને ગળી સમજીને ખાવાથી પરેજ કરતાં હો તો તમને જણાવી દઈએ કે આ એક ઔષધી છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
જોકે સાકર અનરિફાઈન્ડ હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ શુગરની જગ્યાએ પણ કરી શકો છો. આ શરીરમાં હીમોગ્લોબિનના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને એનિમિયા જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે. સાકર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.
વરિયાળી સાથે સાકર ખાવાથી પાચન શક્તિ સુધરે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી.
જો તમને થાક લાગતો હોય તો થોડી સાકર ખાવાની રાખો. તરત જ તમને એનર્જીનો અનુભવ થશે.
ખાવાની રીત
તેના ઉપયોગ માટે સાકરમાં મરીનો પાઉડર અને ઘી મિક્સ કરીને એક કાંચની બરણીમાં ભરી દો. પછી રોજ રાતે જમ્યા બાદ 1 ગ્લાસ દૂધમાં તેને મિક્સ કરી પીવો. તેનાથી તમારી શરદી-ખાંસી, ગળામાં ખારાશ, બંધ નાકની સમસ્યા દૂર થશે. સાથે જ કફ જમા થઈ ગયો હોય તો તેને દૂર કરવા તમે ગરમ પાણીમાં પણ તેને મિક્સ કરીને પી શકો છો.