હાલના જીવનધોરણમાં આપણે ચરબીયુક્ત તમામ વસ્તુઓને આપણા ખોરાકમાંથી બહાર કરતા જઇએ છીએ. માખણની વાત કરીએ, જૂના સમયમાં રોટલી સાથે ઘણું બધું માખણ સવાર-સાંજ નાસ્તામાં લેવામાં આવતું હતું. પણ શું તમે જાણો છો તે માખણ ખાવાથી પણ આપણને જ ફાયદા થાય છે.
તમે ક્યારેય માખણના આટલા લાભ જાણ્યા છે? અહીં વાત માખણની થઇ રહી છે, બજારમાં તૈયાર મળતા બટરની નહીં. દહીંમાથી કાઢવામં આવતુ માખણ ઘીની અપેક્ષાએ શરીરમાં ઝડપથી પચે છે. તેનાથી શરીરની કોશિકાઓનુ નિર્માણ થાય છે. માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે. તેમાં વિટામીન એ,ડી, કે2 અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે. તે હ્રદય માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત પ્રયોગથી આંખો સ્વસ્થ રહે છે. માખણમાં રહેલુ ફેટી એસિડ અને કોંજુગેટેડ લિનોલેક એમિનો એસિડ પ્રમુખ રીતે કેન્સર સામેના બચાવમાં મદદગાર માનવામાં આવે છે.
વાયુ-પિત્ત દોષ દુર થાય છે
ગાયના દુધનુ માખણ સૌથી ફાયદાકારક હોય છે. તેના નિયમિત પ્રયોગથી વાયુદોષ દુર થાય છે. તેનાથી પાચનશક્તિ વધે છે. તે બળવર્ધક હોય છે. એસિડિટી, વાયુ, ગેસ અને લોહીના રોગો મટાડે છે. ખાંસી, ડાયાબીટીસ, નેત્રરોગ, તાવ, પાંડુ રોગ અને સફેદ દાગમાં પણ કારગત છે.
શરીરને પૌષ્ટિકતા આપે છે
તાજુ માખણ શરીરને પૌષ્ટિકતા આપે છે. ઘણા દિવસનુ વાસી માખણ ખારુ અને ખાટુ હોય છે. તેનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઇએ. તેનાથી ઉલ્ટી, કોઢ, મેદસ્વીતા વગેરેની આશંકા વધે છે. તેથી વાસી માખણ ન ખાવુ જોઇએ. રોજ 40 ગ્રામ માખણ રોજ ખાઇ સકાય છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. માખણ વ્યક્તિની પાચનશક્તિ વધારવાની સાથે સાથે આંતરડાની બિમારીઓથી પણ બચાવે છે. માખણને બુધ્ધિ વધારનારુ માનવામાં આવે છે.