જો તમે સૂતા પહેલા તમારી પથારી પર કે તકિયા નીચે એક લીંબુ રાખો છો તો તમને અને બીમારીઓમાંથી રાહત મળી રહે છે, સાથે જ મચ્છરના ત્રાસથી પણ મુક્તિ મળી જાય છે.
રાતના સમયે કરી લો લીંબુનો આ 1 અસરકારક ઉપાય
રોજ રાતે તકિયા નીચે રાખી લો 1 લીંબુ
શ્વાસ +બીપી અને ઊંઘની સમસ્યામાં મળશે મોટી મદદ
તકિયાની પાસે લીંબુ રાખીને સૂવાનો ઉપાય સદીઓથી ચાલતો આવ્યો છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આ ન તો કોઈ ઉપાય છે અને ન કોઈ જૂનો વિચાર, તેનાથી હેલ્થને લઈને અનેક મોટા ફાયદા થાય છે. તો જાણો લીંબુની ખાસિયત.
લીંબુની ખાસિયત
લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે. જે શરીરને ગઠિયા, હાઈ બ્લડપ્રેશર, હાઈપર ટેન્શન અને હાર્ટ ફેલિયરના ખતરાથી બચાવે છે.
શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
શ્વાસ લેવામાં નહીં થાય તકલીફ
અનેક લોકોને રાતના સમયે નાક બંધ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. જો તમે તકિયાની પાસે લીંબુ રાખો છો તો તેની સુગંધથી શ્વાસ લેવામાં તકલીફ રહેતી નથી અને ઊંઘ પણ સારી આવે છે.
બ્લડ પ્રેશરના દર્દીને મળે છે ફાયદો
જાણકારના અનુસાર લો બ્લડ પ્રેશરના દર્દી જો રાતના સમયે સૂતા પહેલા પથારીમાં લીંબુ રાખે છે તો તેઓ સવારે ફ્રેશનેસ અનુભવે છે. લીંબુની સુગંધછી શરીરમાં સેરોટિનનું લેવલ વધે છે અને સાથે લો બ્લડ પ્રેશરના દર્દીને લાભ મળી રહે છે.
મગજને કરે છે શાંત
લીંબુના અનેક ફાયદા છે. આ સાથે જે લોકો જલ્દી થાકી જાય છે તેમને સ્ટ્રેસ વધારે રહે છે. એવામાં તેમને રાતના સમયે ઊંઘ આવતી નથી તો લીંબું મદદ કરે છે. તમે તેને સૂતા પહેલા પથારીની પાસે રાખી લો.તેમાંના એન્ટીબેક્ટેરિયલ તત્વો મગજને શાંત કરશે અને સારી ઊંઘ આવશે.
આ બીમારીથી મળશે રાહત
દિવસભરની ભાગદોડ બાદ નવા દિવસની ચિંતામાં અનેક લોકોને ઈનસોમેનિયા એટલે કે અનિંદ્રાની કે ઓછી ઊંઘની સમસ્યા રહે છે. એવામાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તમે પણ આ બીમારીથી પીડિત છો તો રોજ એક લીંબુનો ટુકડો પથારીની નીચે રાખો અને તમે તેનાથી મગજને શાંત રાખી શકો છો ને સારી ઊંઘ પણ મળી રહે છે.
મચ્છર અને માખીથી મળશે રાહત
કેટલાક લોકો માખી અને મચ્છરના આતંકના કારણે ઊંઘ લઈ શકતા નથી. તેની અસર શરીર પર થાય છે. જો ઘરમાં મચ્છર, માખી કે અન્ય કીડા મકોડા છે તો તમે સૂતા પહેલા ચારે ખૂણા પાસે લીંબુનો ટુકડો રાખી લો. તેની સુગંધથી માખી અને મચ્છર અને અન્ય કીડા પણ તમારી પાસે આવી શકશે નહીં.