જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ભીંડા ખાવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ મુજબ ભીંડા ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવી બીમારીઓને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં ભીંડા એક લો કેલેરી અને ફાઇબરથી ભરપૂર શાક છે જે વજન ઘટાડવામાં અને ડાયાબિટીસ ખતમ કરવામાં મદદ કરે છે.
શા માટે ડાયટમાં સામેલ કરવા જોઈએ ભીંડા
- ડાયાબિટીસના દર્દીઓને થતા સ્ટ્રેસના કારણે શરીરમાં શુગર લેવલ વધે છે. ભીંડા ખાવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. તેમાં રહેલું યૂગેનોલ ફાઇબર લોહીમાં રહેલા શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ શુગર વધવાની પ્રક્રિયાને ધીમી કરી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.
- ભીંડામાં રહેલું આયર્ન તત્વ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે લોહીમાં હીમોગ્લોબિનનું નિર્માણ કરે છે. ભીંડા કબજિયાતની સમસ્યાને પણ દૂર રાખે છે. ભીંડા ડાયટરી ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સોલ્યૂબલ ફાઇબર (જે સરળતાથી ઓગળી જાય) શરીરમાં રહેલા પાણીમાં ઓગળી જાય છે જેનાથી પાચન ક્રિયા યોગ્ય રીતે કામ કરે છે.
- કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ભીંડા ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પેક્ટિન હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘણાઅંશે ઓછો થઈ જાય છે.
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે ભીંડા ઉપયોગી છે. ભીંડાના નાના-નાના ટુકડા કરી તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળ ધોવાથી ડેન્ડ્રફની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે અને વાળ લાંબા સમય સુધી કાળા ભરાવદાર મજબૂત અને હેલ્ધી બન્યાં રહે છે.
- તેમાં વિટામિન C હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શરીરને શરદી ઉધરસ અને તાવ જેવા રોગોથી બચાવે છે. વિટામિન Cની સાથે જ તેમાં મેગ્નેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નિઝ જેવા અનેક પૌષ્ટિક તત્વો રહેલા હોવાના કારણે આ ખૂબ પૌષ્ટિક છે.