સ્વસ્થ રહેવા માટે જરૂરી છે લીલાં શાકભાજી ખાવાનું. ડૉક્ટર્સ પણ નિયમિત શાકભાજી ખાવાનું જ કહે છે. લીલાં શાકભાજીમાં બહુ મહત્વ છે ભીંડાનું. ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. ભીંડામાં પ્રોટીન રેસા કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ લો મેગ્નેશિયમ સોડિયમ અને તાંબાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે જ ભીંડા પૌષ્ટિક શાકભાજી ગણાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ભિંડી સૌથી વધારે ફાયદાકારક હોય છે. આજે અમે તમને ભિંડાનો એક ઘરેલું નુસખો જણાવીશું જેના સેવનથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે...
ભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે.
- ભીંડા લોહીમાં રહેલ સુગરને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. ભીંડા આંતરડા માટે ફિલ્ટરનું કામ કરે છે.
- ભીંડા પિત્ત અને કોલેસ્ટ્રોલમાં પણ ઉપયોગી છે. ગેસની સમસ્યામાં તો ભીંડા વરદાનરૂપ છે. ભીંડા શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.
ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ:
- ભીંડાના દીંટીયાને કાઢીને દૂકવી દો. ત્યારબાદ આ દીંટીયાને મિક્સરમાં દળીને પાવડર બનાવી દો. ત્યારબાદ રોજ સવારે આ પાવડરને પાણીમાં પલાળી પી જવો. તેનાથી ડાયાબિટિસ બહુ જલદી કંટ્રોલમાં આવી જશે.
- વધારે ફાયદા જોઇતા હોય તો ભીંડાને આગળ પાછળથી કાપીને ભીંડાને પાણીમાં પલાળી દો. સવારે ભીંડાને પાણીમાંથી કાઢી લો અને પાણી પી જાઓ. આ પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે
- કાચા ભીંડામાં જેટલા ગુણ હોય છે એટલા ભીંડાના શાકમાં નથી હોતા.
- ભીંડામાં કેલ્સિયમ ખૂબજ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે.