ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે સૂકીભઠ જગ્યાએ પણ કેસરી ફૂલોવાળા ઝાડે અવશ્ય રીતે તમારું ધ્યાન ખેંચ્યુ હશે. આ સુંદર ફૂલ છે કેસૂડાના ફૂલ. સૂડાના ફૂલ કોઈ ઔષધથી કમ નથી. ગરમીથી બચવા ઉપરાંત અનેક રોગોમાં તે રામબાણ ઇલાજ છે. ઉનાળો શરૂ થતા સાથે જ બજારમાં મળવા માંડતા આ ફૂલનો તમે અનેક રોગોમાં અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકો છો. જાણો કઇ-કઇ સમસ્યાઓ માટે કેસૂડાના ફૂલ ફાયદાકારક છે.
- કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.
- કેસૂડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે. તરસ છીપાવે છે અને લોહી તથા પેશાબને શુદ્ઘ કરે છે. આથી જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય, દુખાવો થતો હોય તેમને ચોક્કસથી કેસૂડાનું પાણી પીવાથી લાભ થાય છે.
- પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે.
- ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાની સમસ્યા થતી નથી. આખી રાતે કેસૂડાના પાંચ-સાત ફૂલ પલાળીને રાખો. સવારે તેને ગાળીને તેમાં થોડી સાકર ઉમેરીને દર્દીને આપો. આમ કરવાથી નસકોરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
- કેસૂડાના છોડને સૂકવી તેની 10થી 20 ગ્રામ જેટલી ભૂકી દર્દીને હૂંફાળા ઘી સાથે આપવાથી પાઈલ્સમાં રાહત મળે છે. ઉનાળામાં ડાયેરિયા થઇ જતા હોય તેમના માટે કેસૂડાના ફૂલ ફાયદાકારક છે. આ ઉપરાંત કેસૂડાના પાણીનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે.