પ્રાચીન સમયથી જ કલોંજીનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. કલોંજીને ઘણાં લોકો કાળી જીરી પણ કહેતા હોય છે. કેલ્શિયમ આયર્ન સોડિયમ પોટેશિયમ અને ફાઈબરથી ભરપુર કલોંજી અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે. દવાઓ બનાવવામાં પણ કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું સેવન ફાયદાકારક હોય છે. જો તમને ડાયાબિટીસ હોય તો ખોરાકમાં કલોંજીનો ઉપયોગ કરો અને બની શકે તો કલોંજીના તેલનો ઉપયોગ કરો.
આજકાલ સાંધામાં દુખાવાની ફરિયાદ ઘણી વધી ગઈ છે. કલોંજીના તેલમાં લસણને શેકીને તેને દુખાવો થતો હોય ત્યાં માલિશ કરો. ત્યારપછી ત્યાં પટ્ટો બાંધી લો. રોજ આ રીતે માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે અને સમસ્યા દૂર થઈ જશે.
કલોંજીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ હોય છે જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં મદદ કરે છે. તમારા રેગ્યુલર ડાયટમાં કલોંજી શામેલ કરો. એક ચમચી કલોંજીના તેલને એક ગ્લાસ દ્વાક્ષના રસ સાથે મિક્સ કરીને પી શકો છો.
જો પથરીની ફરિયાદ હોય તો કલોંજીના બીજને વાટીને મધ સાથે સેવન કરો. આનાથી પથરીથી છૂટકારો મળશે.
જો માથામાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય તો કલોંજીના તેલથી માલિશ કરો. દુખાવો ઝડપથી દૂર થઈ જશે.