શિયાળો આવતાની સાથે જ એવા કેટલાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ અને શાકભાજીઓ આવે છે જે ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ સામાન્ય રીતે લોકો લીલા શાકભાજી જોઇને મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટરો પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. શિયાળો એટલે ભાજીઓની ઋતુ. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બિમારીઓને દૂર કરે છે. લીલી મેથી સ્વાદમાં કવડી હોય છે પરંતુ તેમાંથી તમે શાક પરાઠા થેપલા અને સૂપ બનાવી શકાય છે. મેથીમાં પોટેશિયમ કેલ્શિયમ સેલેનિયમ મેંગેંની અને મેગ્નીશિયમ જેવા ભરપૂર તત્વો રહ્યા હોય છે. તો આજે જાણો લીલી મેથી ખાવાથી શું ફાયદા થાય છે.....
- લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઇ રહે છે.
- મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે જે લોકો બ્લડપ્રેશન હોય છે તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
- મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર કરે છે સવારે લીલી મેથીમાંથી બનેલો ઉકાળો પીવાથી કબજિયાત-અપચાની સમસ્યામાંથી રાહત મળે છે.
- મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં એમિનો એસિડ રહેલુ છે.
- દરરોજ મેથીના દાણા ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીમાં ફાયબર હોવાથી ભૂખ ઘટાડે છે.
- મેથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. જેમાં લિપોપ્રોટીન હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. મેથીમાંથી ભરપૂર વિટામિન્સ મળી રહે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- મેથી શરીરના દુખાવો અને સંધિવા જેવા રોગોને દૂર કરવામામ મદદરૂપ થાય છે. મેથીના દાણામાં કેલ્થિયમ આયર્ન અને ફોસ્ફરસ હોવાથી જે શરીરના દુખાવામાં રાહત આપે છે.
- મેથીનું ફેસપેક બ્લેકહેડ્સ ખીલ અને કરચલીઓ દૂર કરે છે. મેથીના દાણાને પાણીમાં ઉકાળીને ચહેરો ધોવો જોઇએ. આ જ રીતે મેથીની તાજી પેસ્ચ ચહેરા પર લગાવવાથી ઘણી સમસ્યાઓમાં મુક્તિ મળે છે.
- મેથી પેસ્ટ અથવા મેથીને રોજિંદા ડાયટમાં ઉમેરવાથી વાળ લાંબા અને કાળા થાય છે. વાળ ખરવાની સમસ્યાને હોય તો નારિયેળના તેલમાં મેથીના દાણા આખી રાત પલાળીને રાખો. પછી આ તેલથી હળવા હાથે વાળમાં મસાજ કરો.