ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ. આ ફળ અનેક રોગોથી બચાવે છે અને બીમારીઓ દૂર રાખે છે. જાણો ફાયદા.
ઉનાળામાં તરબૂચ ખાશો તો રોગો રહેશે દૂર
કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે તરબૂચ
ગરમીમાં શરીરને ઠંડક આપે છે તરબચ
ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે. ઠંડકની સાથે શરીરને જરૂરી પોટેશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે એ એનો બેવડો ફાયદો છે. સામાન્ય રીતે ગરમીમાં પરસેવો થાય એટલે શરીરમાંથી આ મિનરલ્સ પરસેવા વાટે નીકળી જતાં એની કમી થઈ જાય છે. એની સરભર તરબૂચથી થઈ શકે છે.
આદુર્વેદિક ફાયદા
આયુર્વેદના મતે તરબૂચ સ્વભાવે ઠંડું અને શીતળ છે. એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે. એ રેચક છે અને મળ બાંધે છે. તરબૂચ કાચું હોય તો પિત્ત કરે છે અને ગરમ પડે છે. પાકું તરબૂચ પિત્ત શમાવે છે, કફ કરે છે અને ઠંડું છે.
આ રીતે ખાશો તો થશે નુકસાન
આ વાતમાં કોઈ બેમત નથી કે તરબૂચ ખાવાથી ઘણાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 200 ગ્રામથી વધારે તરબૂચ ન ખાવું જોઈએ. એટલે કે ત્રણ મોટી સ્લાઈઝ તરબૂચ ખાઈ શકે છે. તેનાથી વધારે ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. આ સાથે જ ક્યારેય તડકા બપોરે તરબૂચ ખાવું નહીં. અથવા તો લારીઓ પર મળતું, ખુલ્લું અને બરફ પર મૂકેલું ઠંડુ તરબૂચ પણ ખૂબ જ નુકસાનકારક છે. જેથી ધ્યાન રાખવું.
વજન ઉતારવામાં કરે છે મદદ
ઉનાળામાં આવતા ફળના જ્યૂસ પીવો, આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળનું નામ તરબૂચ છે. હા, તરબૂચનો જ્યૂસ વજન ઘટાડવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન A, B, C, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. એક કપ જ્યૂસમાં માત્ર 40 કેલેરી હોય છે.
ગંભીર રોગો સામે રક્ષણ
તરબૂચમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્ર ભરપૂર હોય છે તેને લેવાથી બોડીના તમામ ફંક્શન્સ સરખી રીતે ચાલવા લાગે છે. એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.’ તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.
ટોક્સિન્સ દૂર કરે છે
વિટામિન, મિનરલ્સથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતું. તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. શરીરના પાચનતંત્રને પણ તરબૂચ મજબૂત બનાવે છે. તરબૂચમાં વિટામિન-એ, બી6 તેમજ વિટામિન-સી હોય છે.
ડાયાબિટીસમાં લાભકારી
અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે. ફાઈબર અને પોટેશિયમને કારણે પણ તે શરીર માટે ઉત્તમ છે. રોગ સામે લડવા માટે તરબૂચ ખાવું અત્યંત જરૂરી છે.