ભાગ્યે જ કોઇ એવું હશે જેણે પનીર પસંદ નહી હોય. કેટલાક લોકો તો એવા છે જેઓ પનીરને કોઇ પણ ફોર્મમાં ખાવાનું પસંદ કરે છે તે પછી કાચું હોય કે પકવેલુ.. પનીરમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પનીર ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે તેટલું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દૂધમાંથી બનતા પનીરનો ઘણા પ્રકારે ઉપયોગ કરી શકાય છે. પનીરમાં કેલ્શિયમ પ્રોટીન વિટામિન અને ફોસ્ફરસ હોય છે જે શરીરમાં કેલ્શિયમની ખામી દૂર કરવામાં મદદરૂપ થાય છે. દાંત અને હાડકાને મજબૂતી આપે છે. આ સિવાય પનીર અનેક બિમારીઓને દૂર કરવા માટે લાભદાયી છે.
- દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર કેન્સરની બિમારીમાં ફાયદો અપાવે છે. પનીરમાં પ્રોટીન હોય છે જે બ્રેસ્ટ કેન્સર જેવી બિમારીમાં ખાવા માટે ફાયદારૂપ માનવામાં આવે છે.
- શરીરને સારી માત્રામાં પોષણ ના મળવાથી શરીર નબળું પડવા લાગે છે જેના કારણે શરીરમાં દુખાવો થવા લાગે છે અને પછી ધીમે-ધીમે સંધિવાનો શિકાર બને છે. સંધિવામાં રાહત મેળવવા માટે પનીરનું સેવન કરવું જોઇએ કેમકે તેમાં સારી માત્રામાં પોષકતત્વો હોય છે.
- આજકાલની લાઇફસ્ટાઇલને કારણે સામાન્ય રીતે લોકો પોતાના ખાન-પાન પર યોગ્ય રીતે ધ્યાન નથી આપતા. ડાયાબિટીસના દર્દીઓના ખાવાપીવાની આદતો પર ખાસ ધ્યાન આપવું જોઇએ. તો જ તે શુગર લેવલ કંટ્રોલ કરી શકે છે. પનીર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
- મસલ્સ બનાવવા માટે પ્રોટીનની જરૂર વધારે હોય છે એટલે પનીર ખાવાથી લાભ થાય છે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.
- પાચનતંત્ર નબળું હોવાથી લોકો પેટની પરેશાનીઓનો સામનો કરે છે. પનીર ખાવાથી પાચનશક્તિ સુધરે છે. પનીરમાં ફાયબર હોવાથી પાચનતંત્ર સારું રહે છે.
- પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે. એટલે તણાવનો સામનો કરતા લોકો પનીર વધારે માત્રામાં ખાવું જોઇએ. જે લોકો વધારે પરેશાન થાય છે તેઓમાં તણાવ વધવા લાગે છે.