લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમના માટે લીલી ડુંગળી ખૂબ જ લાભકારી છે. સાથે જ આને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે જેના હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ મળે છે.ડાયાબિટીસમાં લાભ કરે છે. લીલી ડુંગળીમાં વિટામિન સી, બી12 અને થાયમિન સારી માત્રામાં હોય છે. સાથે જ તેમાંથી વિટામિન એ, કે, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગનીઝ અને ફાયબર પણ મળી રહે છે. આમાં રહેલું સલ્ફર બ્લડપ્રેશરને હમેશાં કંટ્રોલમાં રાખે છે. તમે શાક, સલાડ, સૂપ એમ ઘણી રીતે આ 1 શાકનો ઉપયોગ કરીને ફાયદા મેળવી શકો છો. ચાલો જાણીએ ફાયદા.
લીલી ડુંગળીમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. જેથી લીલી ડુંગળી ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે
લીલી ડુંગળી ખાવાથી બોડી કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.
લીલી ડુંગળીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જેનાથી નબળાઈ દૂર થાય છે અને ભરપૂર એનર્જી મળે છે.
લીલી ડુંગળીમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે.
લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રા ઓછી હોય છે. જેથી તેને ખાવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
લીલી ડુંગળી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.
લીલી ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી તે શરદી-ખાંસીમાં ફાયદો કરે છે.
લીલી ડુંગળીમાં પેક્ટિન હોય છે. જે કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
લીલી ડુંગળીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આર્થ્રાઈટિસથી બચાવવામાં મદદ કરે છે.
લીલી ડુંગળીમાં વિટામિન એ હોય છે. જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.