આયુર્વેદમાં 300 રોગોનો ઈલાજ સરગવાથી કરવામાં આવે છે. સરગવાનું જ્યૂસ કે સૂપ તરીકે સેવન કરવાથી તે બ્લડ પ્યૂરીફાઈ કરે છે. તેમાં રહેલું એન્ટીબાયોટિક એજન્ટ શરીરને સ્વસ્થ રાખે છે.
અદભૂત ઔષધી છે સરગવો
આયુર્વેદમાં 300 રોગોનો ઈલાજ સરગવાથી કરવામાં આવે છે
સરગવાનું જ્યૂસ કે સૂપ તરીકે સેવન કરવાથી તે બ્લડ પ્યૂરીફાઈ કરે છે
સરગવો ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે. દક્ષિણ ભારતમાં વ્યંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સરગવાના બીજમાંથી તેલ કાઢવામા આવે છે અને છાલ, પાન, ગુંદર, જડ વગેરેમાંથી પણ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. સરગવામાં દૂધની સરખામણીએ 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.
સરગવો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જલાભકારી છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.
સરગવામાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાથી તે કફ, ગળામાં દુખાવો અને ખારાશ, શરદીમાં લાભકારી રહે છે. તેના માટે રોજ એક કપ સરગવાનું સૂપ પીવું. સાથે જ તે ફેફસાંના રોગો સામે રક્ષણ કરે છે. અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.
કમરનો દુખાવો રહેતો હોય, કેલ્શિયમની ઉણપ હોય કે વાયુને કારણે શરીરમાં દુખાવો રહેતો હોય તો સરગવો ખાવો જોઈએ એવું કહેવાય છે. માત્ર લાંબી શીંગો જ નહીં, એનાં મૂળ, પાન અને ઝાડની છાલ પણ આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગી ગણાય છે.
સરગવાની સીંગમાં કેલ્શિયમ હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સેલેનિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.
સરગવો કિડનીમાં રહેલાં અનવાશ્યક કેલ્શિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનવાથી રોકે છે. કિડની સ્ટોનથી થતાં પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.
થાઇરોઈડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જે લોકોની થાઇરોઇડ ગ્લેન્ડ વધુ સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોઈડનો સ્ત્રાવ ઓછો થાય છે.
સરગવો હાઇ બ્લડપ્રેશર તેમજ શુગર લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે, જે હૃદય માટે ગુણકારી છે.
પુરૂષો માટે પણ સરગવો ખૂબ જ લાભકારી છે. તે શુક્રાણુઓની સંખ્યા વધારવામાં અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.
જો ઈજા થઈ હોય તો સરગવાના પાનની પેસ્ટને ઘા પર લગાવવાથી રાહત મળે છે. સરગવાને શાક તરીકે ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.
સરગવાની સીંગ ખાવાથી ગર્ભવતી મહિલાઓને ડિલિવરી સમયે વધારે તકલીફ નથી થતી.