ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં જ એક્સપર્ટ્સ દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાંકને ગરમ કે હૂંફાળુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણકાર હોય છે આજે અમે તમને જણાવીશું આયુર્વેદમાં જણાવેલા ગરમ પાણીના ખાસ ગુણો અને તેના ફાયદાઓ વિશે...
શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે દરરોજ 1થી 2 ગ્લાસ ગરમ અથવા હૂફાળું પાણી પીવામાં આવે તો તે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં દવાનું કામ કરી શકે છે.
રોજ ગરમ પાણીના ફાયદા:
- જે લોકો ત્વચાની સમસ્યાથી પરેશાન હોય તો દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી ત્વચાની તકલીફો દૂર થવા લાગશે અને તમારી સ્કિન ગ્લો કરવાની સાથે સાથે હેલ્ધી પણ લાગશે.
- સ્ત્રીઓએ માસિકસ્ત્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ હૂફાળું પાણી પીવાથી તરત રાહત થાય છે. માસિકસ્ત્રાવ દરમિયાન દુખાવામાં મસલ્સમાં ખેંચાણ થાય છે જેણે ગરમ પાણી રિલેક્સ કરી દે છે. જેથી સ્ત્રીઓએ પણ રોજ 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ.
- માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દુખાવો થાય છે ત્યારે ગરમ પાણીમાં એલચી પાઉડર મિક્સ કરીને પીઓ જેનાથી દુખાવો દૂર થશે અને પેટની સાથે માથાના દુખાવામાં પણ રાહત મળશે.
- ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.
- ભૂખ વધારવા માટે પણ એક ગ્લાસ પાણી બહુ ઉપયોગી છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ મરી પાઉડર અને મીઠું નાખીને પીવાથી પેટ ભારે થઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.
- ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેશાબ સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન સાબિત થાય છે.
- નિયમિત ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ પણ ઝડપથી થાય છે. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.
- તાવમાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.
- જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
- દમ હેડકી ખારાશ વગેરે તકલીફોમાં અને તળેલા ભોજન ખાધા બાદ ગરમ પાણી પીવાથી ઘણો લાભ થાય છે અને અનેક સમસ્યા દૂર થાય છે.
- વજન ઘટાડવામાં પણ ગરમ પાણી બહુ મદદ કરે છે. જમ્યાના એક કલાક બાદ ગરમ પાણી પીવાથી મેટાબોલિઝ્મ વધે છે. જો ગરમ પાણીમાં થોડુક લીંબુ અને મધના કેટલાક ટીપાં મિક્સ કરી લેવામાં આવે તો શરીર સુડોળ બને છે.
- સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ મિક્સ કરીને પીવાથી શરીરને વિટામિન સી મળે છે. સાથે જ ગરમ પાણી અને લીંબુનું સંગમ શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે.