રોજ વરિયાળીનું પાણી પીવાથી ગજબના સ્વાસ્થ્ય ફાયદા મળે છે. જાણો તેને તૈયાર કરવાની રીત અને પીવાની વિધિ.
રોજ વરિયાળીનું પાણી પીવાથી થશે જોરદાર ફાયદા
વરિયાળીનું પાણી ઘણી બીમારીઓમાં રામબાણ છે
જો તમને શરીરમાં ગરમીની સમસ્યા છે તો આ પાણી તમારા માટે બેસ્ટ છે
આપણાં રસોડામાં ઘણી એવી ઔષધી સમાન વસ્તુઓ હોય છે જેનું સેવન કરવાથી ઘણાં બધાં ફાયદા મળે છે. જેમાંથી એક છે વરિયાળી. ભોજનને પચાવવા માટે અને પેટને દુરસ્ત રાખવા માટે વરિયાળી બેસ્ટ વસ્તુ છે. આ નાનકડા દાણાઓમાં પોટેશિયમ, મેંગ્નીઝ, ઝિંક, આયર્ન અને કોપલ જેવા તત્વો હોય છે. પણ આજે અમે તમને તેનું પાણી પીવાના ફાયદા જણાવીશું, આ સાથે જ જે લોકોના શરીરમાં પુષ્કળ ગરમીની સમસ્યા હોય તેમને પણ આ પાણી ઠંડક આપે છે. ચાલો જાણીએ ફાયદા.
વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું
વરિયાળીનું પાણી બે રીતે બનાવી શકાય છે
1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પીવો.
એક પેનમાં 1 ગ્લાસ પાણી ઉકાળો અને તે પાણીમાં 1 ચમચી વરિયાળી નાખો અને થોડાં સમય માટે ઢાંકીને મૂકી દો. વરિયાળીનું પાણી તૈયાર છે. તેને દરરોજ બેથી ત્રણ વખત પીવો.
સ્થૂળતા દૂર કરે છે
દરરોજ સવારે ખાલી પેટ પર વરિયાળીનું પાણી પીવાથી સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે. કારણ કે વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, મેટાબોલિઝ્મ વધે છે, જેનાથી કેલરી અને ફેટનેઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે. તેમજ વરિયાળીમાં રહેલું ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.
લોહીને સાફ કરે છે
વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલાં હાનિકારક ટોક્સિન્સ એટલે કે વિષાક્તપદાર્થોને શરીરમાંથી દૂર કરી લોહીને સાફ કરવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે પીધા બાદ વારંવાર પેશાબ લાગે છે જે શરીરમાં હાજર અશુદ્ધિઓને દૂર કરીને શરીરને અંદરથી સાફ એટલે કે ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
આંખોની રોશની માટે
વરિયાળીના પાણીમાં વિટામિન એની સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઘણાં પ્રકારના ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આંખોને સ્વસ્થ રાખે છે સાથે આંખની રોશની વધારવામાં મદદ કરે છે, સાથે જ વૃદ્ધાવસ્થામાં થતી મોતિયાની બીમારીને અટકાવવામાં મદદ કરે છે.
બ્લડપ્રેશર
પોટેશિયમથી ભરપૂર વરિયાળીનું પાણી શરીરના બ્લડ પ્રેશરની સાથે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જે દર્દીઓને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તે પણ વરિયાળીનું પાણી પીવું જોઈએ.
પીરિયડ્સનો દુ:ખાવો
પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને તીવ્ર દુ:ખાવો થાય છે. આવી સ્થિતિમાં જો તમે વરિયાળીનું પાણી પીશો તો તમને માસિક સ્રાવના કારણે પેટના દુ:ખાવાથી રાહત મળે છે અને અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે.