આખા ધાણાને મસાલાના રૂપમાં દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.
આખા ધાણા એક ગુણકારી ઔષધ છે
આખા ધાણાનું સેવન રોગોથી બચાવે છે
ગંભીર રોગોમાં રામબાણનું કામ કરે છે આખા ધાણા
આખા ધાણા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન C અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બીમારીઓથી બચાવે છે. દરરોજ તેનું પાણી પીવાથી લિવર અને હાર્ટ હેલ્ધી રહે છે સાથે જ ટાયફોઇડ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
ઈમ્યૂનિટી વધારે છે
તેમાં એસકોર્બિક એસિડ હોય છે, જે એન્ટિઓક્સીડેન્ટનું કામ કરે છે. આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારીને આપણને હેલ્ધી રાખે છે.
લોહીની કમી દૂર કરે છે
તેમાં વિટામિન c અને ફોલિક એસિડ હોય છે, જે શરીરમાં લોહીની કમી નથી થવા દેતું.
લિવર સ્ટ્રોન્ગ બને છે
આ પાણીમાં ફાઇબરની સાથે જ એસેન્શિયલ ઓઇલ હોય છે, જે લિવરને હેલ્ધી રાખે છે.
હાર્ટ હેલ્ધી રાખે છે
નિયમિતપણે ધાણાનું પાણી પીવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
ડાયાબિટીસમાં આરામ અપાવે છે
તેનાથી ગ્લૂકોઝનું લેવલ બેલેન્સ રહે છે, જે ડાયાબિટીસની સમસ્યામાં આરામ અપાવે છે.
સ્કિન ગ્લોઇંગ બને છે
તેમાં લિનોલેનિક એસિડ હોય છે, જે ઇન્ફેક્શનથી બચાવીને સ્કિનનો ગ્લો વધારે છે.
ટાઇફોઇડથી બચાવે છે
તેમાં ડોડેનલ નામનું તત્વ હોય છે, જે ટાઇફોઇડના બેક્ટેરિયાને શરીરમાં ઉત્પન્ન નથી થવા દેતું. આ એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે.
ક્યારે પીવું?
તેને સવારે ખાલી પેટ પીવું જોઈએ
કેવી રીતે બનાવશો ધાણાનું પાણી?
રાતે એક ચમચી આખા ધાણાને 2 કપ પાણીમાં પલાળી દો. સવારે તે પાણી અડધું રહે એટલું ઉકાળીને નરણાં કોઠે ગાળીને પીવો. એ પછી અડધા કલાક સુધી કંઈ ખાવું નહીં. તમે પાણી પી શકો છો. તેનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે.