કોઈપણ સ્વીટ ડિશ હોય કે પછી બિરયાની કે પુલાવ લીલી એલચી આ બધાંમાં એક અલગ જ પ્રકારની સુગંધ અને સ્વાદ આપે છે. ઘણાં લોકો માઉથ ફ્રેશનલ તરીકે તેનો ઉપયોગ કરે છે. ઘણાં લોકો એવું પણ માને છે કે, લીલી એલચીનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. જેથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. તો ચાલો આજે જાણો લીલી એલચીની જાદુઈ અસર વિશે.
એલચી ખાવાના છે અઢળક ફાયદા
રોજ આ રીતે 1 એલચી અવશ્ય ખાઓ
અનકે શારીરિક તકલીફો થઈ જશે દૂર
મોંની દુર્ગંધ
ઘણાં લોકોને પેટ ખરાબ રહેવાને કારણે અથવા કબજિયાતને કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે. નાની એલચી ખાવાની મોંની દુર્ગંધ તો દૂર થાય જ છે. સાથે પેટ અને મોં સંબંધ સમસ્યાઓને પણ દૂર કરે છે. રોજ સવાર-સાંજ 1-1 એલચી ખાઈ લેવાથી ફાયદો થાય છે.
લીંબુ-મધના પાણી સાથે
રોજ સવારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીતા હો તો હવેથી રોજ 1 એલચી પણ વાટીને તેમાં મિક્સ કરો. તેનાથી વજન તો ઘટશે જ, સાથે મેટાબોલિઝ્મ પણ તેજ થશે અને કબજિયાતમાં આરામ મળશે.
ગળામાં ખારાશ
શિયાળામાં ઘણાં લોકોને શરદી-ખાંસી, ગળામાં દુખાવો, ખારાશની સમસ્યા થાય છે. જેથી તેનાથી રાહત માટે રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં 2 એલચી વાટીને નાખો અને ઉકાળો. પછી 1 ચમચી ચ્યવનપ્રાશ ખાઈને તે દૂધ પી જાઓ. તરત જ આ બધાંમાં રાહત મળશે.
ઈમ્યૂન સિસ્ટમ
રોજ જમ્યા બાદ એક એલચી ખાઈ લેવાથી પાચન શક્તિ એકદમ મજબૂત થાય છે. સાથે જ તેનાથી પેટમાં સોજાની તકલીફ, ગેસ અને પેટના ઈન્ફેક્શનમાં પણ રાહત મળે છે.
શરીરની સફાઈ
એલચીમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જે શરીરમાં રહેલાં ખરાબ તત્વોને બોડીમાંથી બહાર કાઢે છે. તે લોહીને નેચરલી સાફ કરે છે.
મોના ચાંદા
જો તમને વારંવાર મોમાં ચાંદા પડી જતા હોય તો 3-4 એલચીને સાકર સાથે વાટી લો. પછી દિવસમાં 2-3 વાર તેનું સેવન કરો. તેનાથી ચાંદા નહીં થાય.
ઉબકાં
જે લોકોને ટ્રાવેલિંગ દરમિયાન ઉબકા અને ઊલટીની સમસ્યા થતી હોય તેમના માટે એલચી ફાયદાકારક છે. જો તમે યાત્રાના એક કલાક પહેલાં 1 એલચી મોમાં રાખી લેશો તો આ સમસ્યા નહીં થાય.