ગુંદા એક એવું ફળ છે જેનું આપણે અથાણું ખાઇએ છીએ, પરંતુ આ સિવાય સ્વાસ્થ્યને લગતા પણ તેના કેટલાક ફાયદા છે જેનાથી આપણે અજાણ છીએ. ગુંદા આપણા શરીરની તાકાત વધારીને બમણી કરી દે છે .જો તમે પર તમારા રોજિંદા ભોજનમાં ગુંદાને શામેલ કરશો તો શરીરની કમજોરીને દૂર કરી દેશે અને સાથે જ હાડકાને લગતી બિમારીઓ પણ દૂર કરી દેશે કારણ કે ગુંદામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે.
- ગુજરાતમાં આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને તેમાં મેંદો, ચણાનો લોટ અને ઘી ભેગું કરીને લાડવા બનાવે છે. આ લાડવા ખાવાથી શરીરને તાકાત મળવાની સાથે અલગ સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જો તમે પણ શરીરની નબળાઇ દૂર કરીને સ્ફૂર્તિનો અહેસાસ કરવા માંગતો હોવ તો આજથી તમારા ડાયેટમાં ગુંદા શામેલ કરી દો.
- ગુંદામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જેના કારણે તમારું મગજ પણ તેજ થાય છે. ગુંદામાં આર્યન પણ સારા માત્રામાં હોય છે જે તમારા શરીરની લોહી ઉણપને દૂર કરવામાં મદદ કરશે.
- ગુંદામાં છાલ કાઢી અને કપૂરના મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા અંગો પરપ માલિશ કરવાથી સોજા અને દુખાવામાં આરામ મળે છે.