તમે સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે અને વજન ઓછુ કરવા માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની 'ચા' ટ્રાય કરી હશે. આજે જાણો 'નારિયેળના દૂધની ચા'ના ફાયદાઓ વિશે.
પીવો નારિયેળના દૂધની ચા
સ્વાસ્થને થશે આ 3 ગજબના ફાયદા
શરીર રહેશે સ્વસ્થ્ય
ભારતમાં ચા પીવાના શોખીન લોકોની કોઈ કમી નથી. સામાન્ય રીતે લોકો ચા બનાવવા માટે ગાય-ભેંસના દૂધ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય નારિયેળના દૂધની ચા પીધી છે?
તમને જણાવી દઈએ કે નારિયેળના દૂધમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં આજે અમે તમને નારિયેળના દૂધની ચાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
નારિયેળના દૂધની ચા પીવાના ફાયદા
વજન ઘટાડવામાં અસરકારક
ભારતમાં વજન વધવાની સમસ્યા નવી નથી. પરંતુ વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવવાથી આ સમસ્યા અનેકગણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં નારિયેળના દૂધની ચા તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નારિયેળમાં ચરબીને નષ્ટ કરવાનો ગુણ હોય છે જે વજનમાં વધારો કરે છે. આ ફળમાં કેલરી ઓછી અને પાણીની માત્રા વધુ હોય છે. જેના કારણે તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ઈમ્યૂનિટીને કરે છે બૂસ્ટ
જ્યારથી કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના લપેટામાં લીધું છે. ત્યારથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે નારિયેળના દૂધમાંથી બનેલી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફળમાં વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક
ભારતમાં ઓઈલી ખોરાકનું સેવન ખૂબ જ થાય છે. જેના કારણે હૃદય રોગનો ખતરો રહે છે. આવા લોકોએ નારિયેળના દૂધની ચા પીવી જોઈએ. નારિયેળનું સેવન અથવા તેના દૂધમાંથી બનેલી ચા પીવાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
નારિયેળની ચા બનાવવાની રીત
નારિયેળના દૂધની ચા આ રીતે બનાવો
નારિયેળના દૂધની ચા બનાવવા માટે એક વાસણમાં 4 કપ પાણી ઉકાળવા મૂકો.
તેમાં ત્રણ ગ્રીન ટી બેગ ઉમેરો.
1/4 કપ નાળિયેરનું દૂધ અને 2 ચમચી ક્રીમ ઉમેરો.
સારી રીતે હલાવો અને ટી બેગ કાઢી લો.
જો તમે ઇચ્છો તો તેમાં એક ચમચી બ્રાઉન સુગર ઉમેરી શકો છો.