નારિયેળનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા-પાઠમાં થાય છે. પણ શું તમે જાણો છો કે નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે કેટલો ફાયદેમંદ છે. જી હાં આ બોડીમાં ઈમ્યૂનિટી વધારે છે અને તેનાથી મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન મિનરલ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ પણ રાખે છે. તેનાથી વાળ અને સ્કિનને પણ ગજબનો ફાયદો થાય છે. તો ચાલો આજે જાણી લો કે નારિયેળ તમને કેવા ફાયદા આપી શકે છે.
- જો તમને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તો નારિયેળનો એક મોટો ટુકડો રાતે સૂતા પહેલાં ખાઓ. સવારે તમારું પેટ સાફ થઈ જશે. તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેનાથી અપચામાં રાહત મળે છે.
- જે લોકોને ઉનાળામાં નસકોરી ફૂટવાની પ્રોબ્લેમ થતી હોય અને નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે આ એક બેસ્ટ દવાનું કામ કરે છે. તેના માટે સાકર સાથે નારિયેળ મિક્ષ કરીને ખાઓ.
- જો તમને ઊલટી જેવું ફીલ થાય અને ઊલટી આવતી હોય તો નારિયેળનો નાનો ટુકડો મોંમાં રાખીને ધીરે-ધીરે ચાવીને ખાવાથી આ પ્રોબ્લેમ તરત જ આરામ મળે છે.
- નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
-આ એક સારું એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે. આ દરેક પ્રકારની એલર્જીને પણ આ દૂર કરે છે.
-નારિયેળ તેલ એક સારું સનસ્ક્રીનનું પણ કામ કરે છે. તડકામાં નીકળતાં પહેલાં તેને લગાવવાથી મોંઘા સનસ્ક્રીનની જરૂર પડતી નથી.
-પિંપલ્સને દૂર કરવા માટે કાકડીના રસમાં નારિયેળ પાણી મિક્ષ કરીને ચહેરા પર લગાવો.ચહેરા પરથી પિંપલ્સ તો દૂર થશે સાથે ચહેરાનો ગ્લો પણ ખૂબ વધી જશે.