નાળિયેરનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છે કે નાળિયેરનો એક ટુકડો તમારા માટે ઘણો ફાયદાકારક સાબિત થઇ શકે છે જે બૉડીનું ઇમ્યુનિટી વધારવાની સાથે સાથે મેમરી પણ શાર્પ કરે છે આજે આવા જ કેટલાક નારિયેળના બીજા ફાયદાઓ વિશે તમને અમે જણાવીશું.
નારિયેળનાં ભરપૂર માત્રામાં વિટામિન મિનરલ કાર્બોહાઇડેટ મળી રહી છે. ગરમીમાં ઠંડક પહોંચાડવાનું કામ કરે છે તેમાં પાણીની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે જેથી તે બૉડીને હાઇડ્રેટ કરે છે. જેના કારણે વાળ અને ત્વચા હેલ્ધી રહે છે.
જો તમને કબજિયાતની પ્રોબ્લેમ રહે છે તો નાળિયેરનો એક મોટો ટુકડો ખાઇને સૂઇ જાઓ સવારે પેટ સાફ થઇ જશે. નાળિયેરમાં સારા માત્રામાં ફાબઇર મળે છે જે પેટને સાફ કરી દે છે.
જે લોકોને ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા રહે છે તે લોકોએ નાળિયેરનું સેવન મિશ્રીને સાથે ખાવાથી આ સમસ્યા દૂર થાય છે.
ઉલ્ટીની તકલીફ છે તો નાળિયેરનો એક ટૂકડો મોંઢામાં મૂકીને થોડો વખત ચાવવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થાય છે.
નાળિયેરમાં ગૂડ કોલેસ્ટ્રોલ પ્રાપ્ત થાય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.
નાળિયેર એક સારું એન્ટીબાયોટિક છે જેના તમામ પ્રકારની એલર્જીને દૂર કરે છે.
નાળિયેરનું તેલ એક સનસ્ક્રીન છે તડકામાં જતા પહેલા તેને લગાવીને નીકળવું જોઇએ.
પિંપલ્સ દૂર કરવા માટે કાકડીના રસમાં નાળિયેરનું પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઇએ.