લવિંગનો ઉપયોગ બધાંના ઘરમાં થતો જ હોય છે. પણ શું તમે જાણો છો કે લવિંગ એક બેસ્ટ ઔષધી છે અને તેના ઉપાયથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ તેના બેસ્ટ નુસખા.
રોજ લવિંગનો ઉપયોગ કરવાથી રોગો રહે છે દૂર
ઘણી તકલીફોનો ખાતમો કરે છે આ નુસખાઓ
લવિંગ પેટ માટે વરદાન સમાન છે
લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે આ ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ હોય છે. આનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે.
ફાયદા
લવિંગથી સાઇનસની સમસ્યાને કંટ્રોલ કરે છે. દરરોજ સવારે અને સાંજે લવિંગ ખાવામાં આવે તો ડાઇજેશન સારું થાય છે, એસિડિટીની સમસ્યા દૂર થાય છે. પેટનું ઇન્ફેક્શન દૂર થાય છે અને પેટના દર્દમાં રાહત મળે છે.
જો તમે વાળમાં પુષ્કળ ખુજલી કે ફંગલની સમસ્યા રહેતી હોય તો તમારા હેર ઓઈલમાં 2 ટીપાં લવિંગના તેલના મિક્સ કરીને લગાવો. વાળ હેલ્ધી થશે અને ઈન્ફેક્શન દૂર થશે.
જો તમને ગળામાં દુખાવો કે ખારાશ રહેતી હોય તો 1 કપ પાણીમાં 3 લવિંગ વાટીને ઉકાળી લો. પછી તેમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પીવો.
જો તમને સાંધાઓમાં દુખાવો થતો હોય તો લવિંગના તેલની રોજ માલિશ કરો. તેનાથી ઘણો ફાયદો થશે.
2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં તરત આરામ મળે છે.
ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની પ્રોબ્લેમમાં રાહત મળે છે.
પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટી અથવા ગભરામણની પ્રોબ્લેમ થાય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે.
લવિંગ ચાવીને ખાવાથી મોંમાં દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા નષ્ટ થાય છે અને દુર્ગંધ દૂર થાય છે.
દાંતમાં દર્દ થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દર્દમાં તરત આરામ મળે છે.
2 વાટેલાં લવિંગ, 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ પાણીમાં નાખી ઉકાળી નવશેકું રહે એટલે પીવાથી લાભ થશે.