સંચળને કાળું મીઠું પણ કહેવામાં આવે છે. આર્યુવેદમાં સંચળના અનેક ફાયદાઓ જણાવ્યા છે.
સંચળને ઠંડી તાસીરનો મસાલો માનવામાં આવે છે. તેના ઉપયોગથી પાચન સંબંધિત બિમારીઓમાં રાહત મળે છે. આ સિવાય સંચળમાં સોડિયમ ક્લોરાઇડ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. રોજ પાણીમાં સંચળ નાખીને પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે આજે તમને અમે જણાવીશું.. .
- સંચળમાં કેલ્શિયમ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જેનાથી મસલ્સ મજબૂત બને છે અને સાંધાનું દુખાવો દૂર થાય છે.
- સંચળમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.
- સંચળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરીને બોડીને ડિટોક્સ કરે છે.
- સંચળમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે. જેનાથી વાળ શાઇની અને સોફ્ટ થાય છે.
- સંચળ ડાઇજેસ્ટિવ એન્જાઇમ્સને એક્ટિવ રાખે છે. જેનાથી ડાઇજેશન પ્રોસેસ સારી થાય છે.
- સંચળમાં રહેલુ ક્રોમેયિમ એલર્જીને દૂર કરવામાં મદદ કરે છે.
- સંચળમાં સલ્ફરની માત્રા વધારે હોય છે જેનાથી તે ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.
- સંચળમાં એન્ટીઇન્ફ્લામેટરી ગુણ હોય છે. જે અસ્થમાને દૂર કરવામાં ઇફેક્ટિવ છે.
- સંચળ હાઇ કોલેસ્ટ્રોલ લેવલનું ઓછું કરે છે જેનાથી હાર્ટ એટેકની સંભાવના ઘટે છે.
- સંચળ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.