કાળા મરીનો ગરમ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા અનેક બિમારીઓની સારવાર ઘર બેઠા શક્ય છે. જો તેનો દરરોજ સવારે હુંફાળા પાણીની સાથે ઉપયોગ કરવામાં આવે તો તમારા શરીરને ઘણો ફાયદો થઇ શકે છે. આવો જાણીએ કાળા મરીથી થતા ફાયદા.
કાળા મરીનો ગરમ મસાલા તરીકે કરાય છે ઉપયોગ
હુંફાળા પાણીની સાથે કાળા મરીનું સેવન કરશો તો થશે ફાયદા
જો પેટમાં ગેસ છે અથવા પછી એસિડિટી થઇ રહી છે તો લીંબુના રસમાં કાળુ મીઠુ અને કાળા મરીનો પાઉડર મિલાવીને ચપટી ભરીને લઇ લો. થોડી ક્ષણોમાં દુ:ખાવામાંથી આરામ મળી જશે.
સ્ટેમિના વધારવામાં અસરકારક
હુંફાળા પાણીની સાથે કાળા મરીનુ સેવન કરવાથી શારીરીક ક્ષમતા વધે છે. આ સાથે શરીરમાં પાણીની કમી થતી નથી.
તણાવને રાખે દૂર
કાળા મરીમાં પિપરાઈન હોય છે અને તેમાં એન્ટી-ડિપ્રેસેન્ટના ગુણ હોય છે. જેના કારણે કાળા મરી લોકોની ચિંતા અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે.
પેઢાની નબળાઈમાં આપે છે આરામ
કાળા મરીથી પેઢાના દુ:ખાવામાં ટૂંક સમયમાં આરામ મળે છે. કાળા મરી, જાયફળ અને સીંધાલુ આ ત્રણેય વસ્તુને બરાબર માત્રામાં મિલાવીને ચૂરણ બનાવીને થોડુ સરસોના તેલમાં મિલાવીને દાંત અને પેઢામાં લગાવો અને અડધા કલાક બાદ મોંઢુ સાફ કરી લો. જેનાથી તમારા દાંત અને પેઢામાં થતા દુ:ખાવાની સમસ્યા પણ દૂર થશે.