ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવમાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આવો જાણીએ આજમાના ગુણો વિશે.
સ્વાસ્થ્ય માટે અજમો છે રામબાણ ઉપાય
ખાંસીમાં રાહત માટે અજમાનો રસ પીવો
અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે.
પીરિયડ્સનો દુ:ખાવો
જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ 2-4 ગ્લાસ અજમાનું પાણી પીવાથી લાભ થશે.
અસ્થમા અને ખાંસી
અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમાના રસમાં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો.
વધુ દારૂ પીધુ હોય તો
જો દારૂ વધુ પીવાથી કોઈ વ્યક્તિને ઉલટીઓ થઈ રહી છે તો તેને અજમો ખવડવો. આનાથી તેને આરામ મળશે અને ભૂખ પણ સારી લાગશે.
ગર્ભાવસ્થા સમયે
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખાવો ફાયદાકારી છે. તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.
પિંપલ અને ડાર્ક સર્કલ
2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
કાનમાં દુખાવો અને મસૂઢાનો રોગ
કાનમાં દુખાવો થતા અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે. મસૂઢા માટે અજમો સેકીને તેને વાટીને તેનુ મંજબ બનાવી લો. આ મંજનથી મસૂડા સંબધિત રોગ ઠીક થાય છે.
પથારીમાં પેશાબ
કેટલાક બાળકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પથારીમાં ટોયલેટ કરી નાખે છે. આવામા બાળકોને રાત્રે લગભગ અડધો ગ્રામ અજમો ખવડાવો.
પાચન ક્રિયા
અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. આ અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી મારી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને.