શક્કર ટેટીમાં 95% પાણીની સાથે સાથે વિટામિન અને મિનરલ્સ પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. આ જા કારણોસર તે શરીર અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે, તેમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને ટેટીના સેવનથી સરળતાથી વજન પણ ઉતારી શકો છો, આ ફળમાં કેલેરી અને શુગરની માત્રા વધારે નથી હોતી, આ સાથે જ તેમા રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સને વિટામિન Cનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. શક્કર ટેટી હૃદયની બિમારી અને કેન્સર સામે પણ રક્ષણ આપે છે. એટલું જ નહીં, તેનાથી ત્વચાને પણ ફાયદો થાય છે. તેમાં રહેલું વિટામિન A ત્વચાને સાફ રાખવામાં મદદરૂપ થાય છે.
કેન્સર:
શક્કર ટેટીમાં પુરતી માત્રામાં ઓર્ગેનિક પિગમેન્ટ કેરોટેન્વાઇડ રહેલું છે, જે કેન્સરની સામે રક્ષણ આપવાની સાથે સાથે ફેફસાંના કેન્સરની સંભાવનાઓને પણ ઘટાડે છે. આનાથી શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળ નાશ પામે છે.
હૃદય રોગને લગતી બિમારીઓ:
હૃદય રોગ અને હૃદયને લગતી બિમારીઓ સામે લડવામાં શક્કર ટેટી ફાયદાકારક છે. તેમાં રહેલું એડેનોસીન નામનું એન્ટીકોએગુલેન્ટ, રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખે છે.
ધમનીઓમાં લોહી જામી જવાથી જ હૃદયને લગતી બિમારીઓ થાય છે. શક્કર ટેટી શરીરમાં લોહીના પરિભ્રમણને યથાવત રાખવામાં સહાયક સાબિત થાય છે. જેનાથી હૃદય રોગનો હુમલો અને હૃદયની બિમારીઓની સંભાવના ઘટી જાય છે.
ત્વચા:
આપણી ત્વચામાં કનેક્ટિવ ટિશ્યૂ જોવા મળે છે. શક્કર ટેટીમાં મળતા કોલાજન પ્રોટીન આ કનેક્ટિવ ટિશ્યુમાં કોશિકાઓની સંરચનાને જાળવી રાખે છે. કોલાજનથી ઘાવ ઝડપથી ભરાય છે અને ત્વચા મજબૂત બને છે. જો તમે નિયમિત શક્કર ટેટી ખાવાનો આગ્રહ રાખશો તો ત્વચામાં શુષ્કતા નહીં આવે.
પાચન:
પાચન માટે યોગ્ય શક્કર ટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા સાથે પિડાવ છો, તો શક્કર ટેટી ખાવી જોઇએ. શક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં સહાયક હોય છે. તેમાં જોવા મળતાં મિનરલ્સ પેટની એસિડિટીને ખતમ કરે છે, જેનાથી પાચન ક્રિયા દુરસ્ત થઇ જાય છે.
કિડની:
શક્કર ટેટીમાં ડાઇયુરેટિક (મૂત્રવર્ધક) ક્ષમતા વધારે હોય છે. તેનાથી કિડનીની બિમારી અને એક્ઝિમામાં ઘટાડો થાય છે. જો શક્કર ટેટીમાં લીંબુ નાખીને તેનું સેવન કરવામાં આવે તો સંધિવાના રોગમાંથી મુક્તિ મળે છે.
ઉર્જા:
શક્કર ટેટીમાં વિટામિન Bની માત્રા રહેલી છે, જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે. શુગર અને કાર્બોહાઇડ્રેડનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે.
વજન:
જો તમે તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો શક્કર ટેટી એકદમ આદર્શ ફળ સાબિત થઇ શકે છે. તેમાં ઓછી માત્રામાં સોડિયમ રહેલું છે, સાથે સાથે તે ફેટ અને કોલેસ્ટ્રોલ રહિત છે. તેથી આ ફળ ખાવાથી શરીરને ઓછી કેલેરી મળે છે. એક કપ શક્કર ટેટીમાં 48 કેલેરી ઉર્જા હોય છે. શક્કર ટેટીમાં રહેલી પ્રાકૃતિક મીઠાશથી તમે હાઇ કેલેરીવાળી મિઠાઇઓથી પણ દૂર રહેશો.
તણાવ:
જ્યારે તમે તણાવગ્રસ્ત હોવ છો તો શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.
ડાયાબિટિસ:
ડાયાબિટિસના દર્દીઓને વધારે ભૂખ લાગતી હોય છે, કારણ કે તેમના આહારમાં શુગર અને ઉર્જાની માત્રા ઘણી ઓછી હોય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે શક્કર ટેટીનો આહાર યોગ્ય ગણાય છે. નિષ્ણાતો હંમેશા ડાયાબિટિસના દર્દીઓને શક્કર ટેટીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે, કારણ કે તે લોહીમાં શુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આંખો:
આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન એની આવશ્યકતા હોય છે. શક્કર ટેટી આ વિટામિન બીટા અને કેરોટિનના રૂપમાં ઉપલબ્ધ કરાવે છે.
ડબલ્યુએચએફ અનુસાર રોજ ત્રણ વખત હાઇ બીટા કેરોટીન ફ્રૂટ ખાવાથી મેક્યુલર ડીજનરેશનની સંભાવના 1.5 વખત ખાનારાઓની સરખામણીમાં 36 % ઘટી જાય છે. મેક્યુલર ડીજનરેશન ઢળતી ઉંમરની સાથે થતી સમસ્યા છે, જેનાથી આંખોની રોશની પણ ઘટી જાય છે.