અત્યારની લાઇફસ્ટાઇલમાં દરરોજ બહારનું અને તળેલું ખાવાથી વ્યક્તિનું વજન વધી રહ્યું છે, જેથી લોકો વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે જિમ જાય છે.
-મેદસ્વિતાથી માત્ર હ્રદય સંબંધિત બીમારીઓ જ નહીં, પણ સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર પણ શરીરમાં ઘર કરી જાય છે. આ બધી જ સમસ્યાઓથી છૂટકારો મેળવવો હોય તો એક એવો ઉપાય છે જે વજન ધટાડવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે. તે છે ખીરા કાકડી. જેનો નિયમિત જ્યૂસ પીવાથી પેટ પર જામેલી ચરબીનું સ્તર ધીમે-ધીમે ઓછું થતું જાય છે.
- ખીરા કાકડીના જ્યૂસમાં શૂન્ય માત્રામાં ચરબી હોય છે, જેથી તમે બિંદાસ તેનો જ્યૂસ પી શકો છો. આ ખીરા કાકડીનો સલાડ તરીકે પણ લઇ શકાય. જોકે આ કાકડીનો જ્યૂસનું સેવન ખાલી પેટે કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે.
- ખીરા કાકડીનો જ્યૂસ તમારી પાચનક્રિયા પણ સુધારે છે. જો તમારા શરીરનું મેટાબોલિઝમ સારુ છો તો ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે. ખીરા કાકડીમાં પોટેશિયમ, ફાઈબર, વિટામીન સી, વિટામિન કે, મેગ્નેશિયમ અને વિટામિન એ હોવાથી શરીરને પોષણ પણ સારી રીતે મળે છે.
- ખીરા કાકડીના જ્યૂસમાં સોડિયમ નથી હોતુ અને તે પ્રાકૃતિક રૂપે ડાઇયુઅરેટિક (મૂત્રવર્ધક) હોય છે, જેનાથી શરીરમાં હાજર ચરબીવાળા કોષો દૂર કરવામાં મદદ મળે છે. જો તમને કસમયે ભૂખ લાગતી હોય તો ખીરા કાકડીનો જ્યૂસનો નિયમિત રીતે સેવન કરો, જેનાથી લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.
- વજન ઘટાડવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સ્વસ્થ આહાર. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, પેક કરેલાં અને તૈયાર શાકભાજીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઇએ. તંદુરસ્ત રહેવા માટે માત્ર તાજા શાકભાજી જ ખાવા જોઇએ. ખીરા કાકડીને પણ ક્યારેય ફ્રીઝ કરીને ના રાખવી. જરૂર મુજબ બજારમાં જઇને ફ્રેશ લાવી તેનો જ્યૂસ બનાવીને સેવન કરો.