જાંબુ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જાંબુથી ઘણા વધારે ફાયદાકારક તેના બીજ હોય છે,
જાંબુ બીજમાં એટલા બધા ઔષધિય ગુણો હોય છે જે ડાયાબિટીસ જ નહીં અન્ય ગંભીર બિમારીમાં પણ દવાના રૂપે લઇ શકાય છે.
જાંબુના બીજને સુકવીને તેની છાલ ઉતારી નાના-નાના ટુકડા કરી તેનો પાઉડર બનાવવામાં આવે છે જે પાઉડરને રોજ ખાલી પેટ ખાવાથી ઘણા રોગો કંટ્રોલમાં આવી જાય છે. કેન્સર જેવી બિમારીમાં પણ જાંબુ અને તેની બીજ ખૂબ જ કારગર હોય છે. કહેવાય છે કે જો જાંબુના બીજમાં સિંધવ મીઠું ભેળવીને સેવન કરવામાં આવે તો તેના ઔષધિય ગુણ પણ હજુ પણ વધી જાય છે.
- જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતો તતો તમે જાંબુના બીજનો પાઉડર રોજ સવારે ખાલી પેટ લેવાનું શરૂ કરી દો. આ રામબાણ ઔષધિથી તમારો ડાયાબિટીસ ઘણા હદ સુધી કંટ્રોલમાં આવી જશે.
- જે મહિલાઓને પીરિયડ્સ આવવામાં મુશ્કેલી આવે છે તેમણે જાંબુના બીજનું સેવન જરૂરથી કરવુ જોઇએ. પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ આવવુ અને દુખાવો રહેતો હોય તો જાંબુના બીજનો પાઉડર બનાવવી રોજ એક ચમચી લેવો જોઇએ.
- જે લોકોને દાંત અથવા પેઢામાં કોઇ તકલીફ હોય તે લોકો માટે પણ જાંબુના બીજનો પાઉડર એકદમ કારગર છે.
- વારંવાર યૂરિન જવાનું થતુ હોય અથવા તો યૂરિન ઇન્ફેક્શન થતું હોય તે લોકોએ જાંબુના બીજનો પાઉડર નિયમિત રૂપથી લેવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.