ઉનાળુ શાક ગવારમાં સૌથી વધારે માત્રામાં ઔષધિ હોય છે.
ખાસ કરીને ગવારમાંથી પ્રોટીન અને સારી માત્રામાં ફાયબર મળે છે. આ સિવાય તેમાં વિટામિન C, વિટામિન A, ફૉલોએટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે ખનિજ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ મળી આવે છે. આ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.જાણીએ તેના ફાયદા વિશે...
ગવારમાં ગ્લાઇકો ન્યૂટ્રિએન્ટ હોય છે જે શરીરમાં ડાયાબિટીસના સ્તરને નિયત્રિંત કરે છે.
ગવારમાં રહેલુ કેલ્શિયમ, વિટામિન K તથા ફોસ્ફરસ જે હાડકાને મજબૂત કરે છે.
ગવારમાં હાઇપોગ્લાઇસેમિક અને હાઇપોલિપિડેમિક ગુણ હોવાથી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભદાયી છે.
ગવારની શાક પ્રેગ્નેન્ટ મહિલાઓ ચોક્કસથી ખાવું જોઇએ. તેમાં સારી માત્રામાં આયર્ન અને કેલ્યિશમ હોવાથી શરીરમાં તેની ઉણપ પૂરી કરે છે. તેમાં રહેલા ફૉલિક એસિડ ગર્ભની રક્ષા કરે છે અને વિટામિન ગર્ભના વિકાસ કરવામાં મદદ કરે છે.
ગવાર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેમાં ડાયટરી ફાયબર, પોટેશિયમ અને ફોલેટની ઉપસ્થિતિથી હૃદય સંબંધિત જટલીતાઓથી બચાવે છે. ઘણા આર્યુવેદ નિષ્ણાતો અનુસાર, ગવાર ફળીને એક શાકના રૂપથી નહી પરંતુ કુદરતની તરફથી પ્રદાન કરેલી એવી દવા માનવી જોઇએ જે હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને ગર્ભાવસ્થા માટે લાભકારી છે.