ઘણાબધાને ખબર નથી હોતી કે નારિયેળ પાણીમાં પોષક તત્વોનો સારો એવો સ્ત્રોત હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આવો જાણીએ નારિયેળ પાણીના ફાયદા...
- નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બિમારીઓથી ખતરો ઓછો રહે છે.
- ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારું પીણું છે. તેમાં બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે જે પાચનશક્તિ માટે ફાયદાકારક છે.
- ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઈગ્રેન થાય છે. એક્સપર્ટ્સની અનુસાર, નારિયેળ પાણી માઇગ્રેનના દુખાવાને ઓછો કરીને મટાડી દે છે.
- એક અભ્યાસ મુજબ, નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ડાયટરી ફાઈબર હોય છે જેનાથી બ્લડ શુગરને નિયત્રિંત કરવામાં મદદ મળે છે. તેનાથી ઇન્સ્યૂલિયની સંવેદનશીલતા પણ સુધરે છે.
- તમને જાણીને હેરાની થશે કે નારિયેળ પાણીમાં સૈાઈટોકાઈનિંગ હોય છે. જેમાં શરીરને સ્ફૂર્તિભર્યુ રાખવાનો ગુણ છે. આ ઉપરાંત આયુષ્ય સંબંધિત બિમારીઓને દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.
- એક રિસર્ચમાં જાણવા મળ્યું કે નારિયેળનું પાણી તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઇ શકે છે. વર્કઆઉટ પછી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
- રાતની મસ્તી બાદ જો તમે સવારે સારું ફિલ નથી કરી રહ્યા તો સવારે ભૂખ્યા પેટે નારિયેળ પાણી પીવાનું શરૂ કરો. આ પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરે છે.